Western Times News

Gujarati News

ગ્વાલિયરમાં બસ-ઓટોની ટક્કરમાં ૧૩નાં મોત, ૪ ઘાયલ

ગ્વાલિયર,  મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક બસ અને ઓટો વચ્ચે ભીષણ ટક્કર થતાં ૧૩ લોકોનાં મોત થયા છે, જ્યારે ૪ અન્ય લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંગળવાર સવારે ગ્વાલિયર શહેરના પુરાની છાવની વિસ્તારમાં બની છે. એડિશનલ એસપીએ પણ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.

આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનો માટે ૪ લાખ અને ઘાયલો માટે ૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાને લઈ સિટી એસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે, ઓટો રિક્ષામાં ૧૩ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.