Western Times News

Gujarati News

શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ

File


(પ્રતિનિધિ) અમદાવાદ :
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો શિવ ના દર્શન કરવા ઉમટ્યા છે રખિયાલ ખાતે આવેલ ચકુડીયા મહાદેવમાં શિવભક્તોનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે લો-કોલેજ પાસે આવેલ સમર્થેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા બહાર આવેલ કામનાથ મહાદેવ, શારદા સોસાયટી પાસે આવેલ ભીમનાથ મહાદેવ, સારંગપુર દરવાજા પાસે આવેલ કર્ણમુકતેશ્વર, સન્યાસ આશ્રમમાં આવેલ કાશીવિશ્વનાથ મહાદેવમાં ભક્તો ભોળા શંભુના દર્શન કરવા કતારોમાં ઉભા રહેલા જાવા મળે છે.

પંચામૃત, દૂધ, તથા જળનો અભિષેક, લિંગ પર ચંદનનો લેપ તથા લિંગ પર બિલીપત્રો ચઢાવવાનુ ખાસ મહાતમ હોવાને કારણે ભક્તો છેલ્લા સોમવારે ભોળા શંભુના શિવલીંગ પર અભિષેક કરવા આતુર બની રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.