Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશનનું ‘મીલીયન ટ્રીઝ’ મિશન સફળ

(દેવેન્દ્ર શાહ દ્રારા)અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. જે પૈકી માંડ ર૦ થી ૩૦ રોપાઓનો બચાવ થાય છે તેથી વૃક્ષારોપણ અભિયાન સાર્થક સાબિત થતું નથી. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ વૃક્ષારોપણ અભિયાનને યથાર્થ સાબિત કરવા અને હરિયાળી ક્રાંતિ લાવવા માટે ‘મિશન મિલીયન ટ્રીઝ’ ની જાહેરાત કરી હતી. તથા વિશ્વ પર્યાવરણ દિનથી ૩૧ ઓગષ્ટ સુધીના સમયગાળામાં દસ લાખ રોપા લગાવવાની જાહેરાત કરી હતી.

સાથે સાથે ૮૦ ટકા કરતા પણ વધુ રોપાનો વ્યવસ્થિત  ઉછેર થાય તે માટે વિવિધ એનજીઓ અને એસોસીએેશનને સ્વેચ્છીક જવાબદારી લીધી છે. ‘મિશન મીલીયન ટ્રીઝ’ અભિયાનમાં આઠ ઓગષ્ટ સુધી આઠ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા છે. તથા આગામી બે-ત્રણ દિવસમાં જ ‘મીલીયન ટ્રીઝ’ નું મિશન પૂર્ણ થાય એવી શક્યતાઓ છે.

ઓગષ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં આઠ લાખ રોપા લગાવવામાં આવ્યા : ઔડા, યુનિવર્સિટી, ફોરેસ્ટ વિભાગ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનું બહુમૂલ્ય યોગદાન

મ્યુનિસિપલ પાર્કસ. એન્ડ ગાર્ડન વિભાગના સુત્રોએ જણાવ્યા અનુસાર ‘મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં મનપાને સફળતા મળી છ. મ્યુનિસિપલ કમિશ્નરની દીર્ઘદ્રષ્ટી અને યોગ્ય માર્ગદર્શનના કારણે નિયત સમય મર્યાદા કરતાં દસ દિવસ પહેલાં જ દસ લાખ રોપા લગાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિનથી ૩૧મી ઓગષ્ટ સુધી દસ લાખ રોપા લગાવવા માટે કમિશ્નરે જે લક્ષ્યાંક આપ્યો હતો તેને સફળ બનાવવામાં વિવિધ એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી એસોસીએશન તથા ઔડાએ પણ પ્રશંસનીય કામગીરી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનમાં પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે.

મધ્ય ઝોનમાં ર૧૦૮પ, પૂર્વ ઝોનમાં ૮૩૪૧૬, પશ્ચિમ ઝોનમાં ૧૩૮પ૬૧, ઉત્તર ઝોનમાં ૧૦૮૬ર૬, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩રરરપ રોપા સ્થાનિક કોર્પોરેટરો અને કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. ઔડા વિસ્તારમાં ૧.પ૦ લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા છે. સાબરમતી રીવરફ્રન્ટ પર ૩રપ૦ તથા જનમાર્ગ કોરીડોરમાં ૧૧૪૦ રોપા લગાવ્યા છે.

મિશન મિલીયન ટ્રીઝ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ પણ સહકાર આપ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ શાળાઓ વિસત-ગાંધીનગર હાઈવે, જડેશ્વર વન તથા સુંદરવનમાં ૬પ૯૦૦ વૃક્ષના રોપા લગાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ એ ૮૭૦૦ રોપા તેમના કેમ્પસમાં લગાવ્યા છે. સ્વામિનારાયણ ગુરૂકૂળ (છારોડી) માં રપ૦૦ તથા કેન્ટોનમેન્ટ એરિયામાં ૭૦૦ વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૭પ૦૦ રોપા લગાવવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ બગીચા ખાતાના ડાયરેક્ટર જીજ્ઞેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ પ્લોટમાં જાપાનની મીયામીવાદી પધ્ધતિથી સાડા ત્રણ લાખ રોપા લગાવવામાં આવ્યા છે જ્યારે ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા છે. શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ૧ર૦ રિઝર્વ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. જેના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે.

ભૂતકાળમાં રોપા લગાવ્યા બાદ તેની માવજતની સમસ્યા રહેતી હતી. તેના કારણે માંડ ર૦ ટકા રોપા જ બચતા હતા. મ્યુનિસિપલ કમિશ્નરે ‘મિશન મિલીયન ટ્રીઝ’ અભિયાનમાં રોપા લગાવવાની સાથે સાથે તેનો યોગ્ય ઉછેર થાય એ દિશામાં પણ ધ્યાન આપ્યુ છે. જેમાં સદર પ્રોજેક્ટમાં ખાનગી પ્લોટના માલિકો, જીઆઈડીસી એસોસીએશન, વેપારી એસોસીએશન, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો, એનજીઓ વગેરેને પણ જાડવામાં આવ્યા હતા.

આ તમામ સંસ્થાઓ દ્વારા વૃક્ષની માવજત કરવાની જવાબદારી લેવામાં આવી છે. મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટમાં જે રોપા લગાવવામાં આવ્યા છે તેની માવજત માટે પણ વિવિધ એનજીઓએ તૈયારી દર્શાવી છે. તેથી દસ લાખ વૃક્ષો પૈકી ઓછામાં ઓછો ૮૦ ટકા રોપાનો વ્યવÂસ્થત ઉછેર થશે તેમ જણાવ્યુ હતુ. મિશન મિલીયન ટ્રીઝ પ્રોજેક્ટમાં લીમડો, ગુલમહોર, કણજી, વડ, પીપળો, સપ્તપણી, ગરમાળો, બોરસલ્લી, પેથોડીયા, મહાગોની જેવા વૃક્ષોની વિવિધ જાતો લગાવવામાં આવી છે. ઓછા પાણીમાં પણ વ્યવસ્થિત ઉછેર થઈ શકે એ બાબતનું ખાસ ધ્યાન રાખીને વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે.ે  મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટની સફળતા સાથે જ શહેરમાં હરિયાળી ક્રાંતિ’નું સ્વપ્ન સાકાર થશે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.