Western Times News

Gujarati News

ઇસ્કોન મંદિરમા દર્શન કરી ધન્યતા અનુભવતા નાયબમુખ્યમંત્રી

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની  શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ

રાજ્યના નાયબમુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રતીષ્ઠીત અને પવિત્ર ઇસ્કોન મંદિરમાં દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશમાં કહ્યું કે,દેશ અને દુનિયામા બધી જ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખુબ ભક્તિભાવ પુર્વક,અનષ્ઠાન પુર્વક અને ધાર્મીક વીધીવીધાનથી ઉજવવામા આવે છે. ત્યારે આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ અને પરસ્પર બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.