Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ: ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભાજપ દ્વારા સ્વચ્છતા ની રેલીયોજી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી .

છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ સ્થાપના દિવસ ને લઈને ભાજપ દ્વારા ઠેરઠેર સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તો પ્રાંતિજ ખાતે પણ નાની ભાગોળ ખાતે આવેલ શ્રી હરી હરેશ્વર મહાદેવ મંદિર ના હોલ ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતા મા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

જેમા પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , નગર પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા  ,  શહેર પ્રમુખ નિત્યાનંદ ભાઇ બ્રહ્મભટ્ટ , મંત્રી નિકુલરામી ,  નગરપાલિકા ના કોર્પોરેટર  અરવિંદભાઈ પરમાર  ,  બાંધકામ સમિતિ ના ચેરમેન  રાજેશ ટેકવાણી સહિત સોવકોઇ ભાજપ કાર્યકરો  આગેવાનો દ્રારા  સ્થાપના દિવસ ને લઈ ને ઉપસ્થિત રહીને ફોટા ને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી

તો પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્રારા  સોવકોઇ ઉપસ્થિતો ને  કાર્યક્રમ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી તો સ્થાપના દિવસ ની ઉજવણી સોશિયલ ડીસટન તથા ફરજીયાત માસ્ક સાથે ભાજપ કાર્યકરો નગરપાલિકાના કોર્પોરેટર  સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ નાની ભાગોળ થી સ્વચ્છતા અંગે ની રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને રોડ ઉપર પડેલ પ્લાસ્ટિક નો કચરો ઉઠાવવામા આવ્યો હતો  .
ફોટા મોકલેલ છૈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.