Western Times News

Gujarati News

હિના ખાન પરિવારને ખોટું બોલીને મુંબઈ આવી હતી

મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાનના પિતાનું મંગળવારના રોજ નિધન થયુ હતું. હિના ખાન પોતાના પિતાથી ઘણી નજીક હતી. તે સોશિયલ મીડિયા પર પણ પિતાના ફોટો અને વીડિયો શેર કરતી રહેતી હતી. આટલું જ નહીં, તે પોતાને પપ્પાની પ્રિન્સેસ કહેતી હતી. હિના ખાને એક વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, હું નથી જાણતી કે કેટલા લોકોને આ વાતની ખબર છે,

પરંતુ જ્યારે હું મુંબઈ આવી ત્યારે ખોટું બોલીને આવી હતી. મેં ખાલી મારા પિતા સાથે આ બાબતે ચર્ચા કરી હતી. મમ્મી અને પરિવારના અન્ય સભ્યોને લાગ્યું કે હું દિલ્હીમાં છું.

માત્ર મારા પિતા હકીકત જાણતા હતા. તે દરેક સારા અને ખોટા કામમાં મારો સાથ આપતા હતા. હિનાએ જણાવ્યું કે, હું સૌથી પહેલા મારા પપ્પાને મારી સાઈડ કરી લેતી હતી. જાે કંઈક ખોટું થાય તો દોષનો ટોપલો તેમના માથે નાખી દેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

મારી મમ્મી ધમકાવે તો પણ તે જ સાંભળી લેતા હતા. તમને જણાવી દઈએ કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી પ્રસિદ્ધિ મેળવનારી એક્ટ્રેસ હિનાના પિતાનું કાર્ડિએક અરેસ્ટથી અવસાન થયું છે. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને તે તરત મુંબઈ પહોંચી હતી.

અનેક સેલેબ્સ હિનાના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હ્યુમન્સ ઓફ બોમ્બે નામના એક ફેસબુક પેજ પર હિના ખાનને લગતી એક પોસ્ટમાં લખવામાં આવ્યુ હતું કે, હિના એક કશ્મીરી પરિવારથી આવે છે અને ત્યાં એક્ટર બનવું એ ક્યારેય કરિયર ઓપ્શન નહોતો. તેના પિતાએ કહ્યું કે જાે તે ભણવાનું પૂરું કરશે તો જ તેને એક્ટિંગ કરવા દેશે. તે આખી રાત શૂટ કરતી હતી અને બ્રેક દરમિયાન ભણવા બેસતી હતી અને દિલ્હી પરીક્ષા આપવા જતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.