Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી મહંત સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળમાં બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા અને કીર્તન – ઓચ્છવ કરવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની ઉપાધિમાંથી ભગવાન સૌની રક્ષા કરે તે માટે દેશવિદેશના ભકતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની 525 કલાકની ધૂન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી અને અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીવર્ચન પાઠવ્યા હતા.

હાલની કોરાનાની વિષમ પરિસ્થિતિ ના કારણે સમગ્ર મહોત્સવ હરિભક્તોની ગેરહાજરીમાં ઓનલાઈન ઉજવાયો હતો.આ ઉત્સવનો લાભ દેશ અને વિદેશમાં સૌને પ્રાપ્ત થાય તે માટે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.