Western Times News

Gujarati News

કોરોના સંક્રમિત શશી થરૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે રાજકારણીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.ત્યારે ગયા અઠવાડિયે કોરોના વાયરસથી ચેપ લાગતાં કોંગ્રેસના નેતા શશી થરૂરને રાષ્ટ્રીય પાટનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ૬૫ વર્ષીય શશી થરૂરને સરિતા વિહારની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ થરૂરને ૨૧ એપ્રિલે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવા પર, તિરુવનંતપુરમના સાંસદ, શશી થરૂરે ટ્‌વીટ કર્યું હતું કે તપાસની તક મળે તે માટે બે દિવસની રાહ અને પછીના દિવસ રિપોર્ટની રાહ જાેયા બાદ એ નક્કી થઈ ગયું કે હું કોરોના સંક્રમિત છું. આશા કરું છુપં કે પોઝિટિવ મનોસ્થિતિ, આરામ, સ્ટીમ અને ખૂબ બધા પ્રવાહી પદાર્થોથી આ સ્થિતિને પહોંચી વળીશ. મારી બહેન અને ૮૫ વર્ષના માતા પણ કોરોના સંક્રમિત છે.”

થરુર પહેલાના ભૂતકાળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાજ્યસભામાં કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, વરિષ્ઠ નેતાઓ હરીશ રાવત, દિગ્વિજય સિંહ અને ભૂપેન્દ્રસિંહ હુડા પણ કોરોના સંક્રમિત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.