Western Times News

Gujarati News

તનાઝ ઈરાનીને અપના ટાઈમ ભી આયેગાથી કાઢી મુકાઈ

મુંબઈ: વર્ષોવર્ષથી જાેતા કે સાંભળતા આવ્યા છે કે ફલાણા એક્ટર કે એક્ટ્રેસને રાતોરાત ટીવી શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હોય. ટીવીમાં શોમાંથી ઘણા કલાકારોને રાતોરાત બહાર કરી દેવામાં આવે છે ત્યારે આ ઘટનાનું તાજું ઉદાહરણ છે એક્ટ્રેસ તનાઝ ઈરાની. સીરિયલ અપના ટાઈમ ભી આયેગા’માં તનાઝ રાજેશ્વરી સિંહ રાજાવતનો રોલ કરે છે. તનાઝનું માનીએ તો તેણે, શૂટિંગ માટે ગોવા જવામાં આનાકાની કરતાં તેને રાતોરાત રિપ્લેસ કરી નાખવામાં આવી છે.

તનાઝના કહેવા પ્રમાણે શોના મેકર્સે તેની સાથે ચર્ચા કર્યા વિના જ તેને બહાર કરી દેવાનો ર્નિણય કર્યો છે. તનાઝે કહ્યું, મેં તેમની સાથે ૧૧ એપ્રિલ સુધી શૂટિંગ કર્યું હતું. મહારાષ્ટ્રમાં નિયંત્રણોના કારણે શૂટિંગ પર પ્રતિબંધ લાગતાં શોના મેકર્સે ગોવા જઈને શૂટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રોડક્શન હાઉસ દ્વારા બધાને મેસેજ કરીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ શૂટિંગ માટે આવી શકશે કે નહીં? પરંતુ એ મેસેજમાં તેમણે અન્ય વિગતો જેવી કે રહેવાની વ્યવસ્થા, કેટલા દિવસ રહેવાનું થશે તે જણાવ્યું નહોતું. મેં તેમને કહ્યું હતું કે, હું ટ્રાવેલિંગ કરવા અંગે નક્કી ના કહી શકું પરંતુ હું ચર્ચા કરવા માટે તૈયાર છું.

જાે કે, ત્યારબાદ કોઈ જ ચર્ચા ન કરવામાં આવી. આ પરિસ્થિતિને કારણે મને ટ્રાવેલ કરીને મારા બાળકોને મળવા માટે પાછી મુંબઈ ના આવવા દીધી હોત. મારી પાસે બાળકોનું ધ્યાન રાખે તેવું બીજું કોઈ નથી અને મારા પતિ બાળકોના ઓનલાઈન ક્લાસ સહિત બધી જ બાબતો એકલા હાથે સંભાળે તેવી અપેક્ષા પણ ન રાખી શકાયને. આ ઉપરાંત હું એક વખત કોરોનાનો શિકાર થઈ ચૂકી છું. માટે હું ક્યાંય પણ જઉં ત્યારે મારા પરિવારને ચિંતા થાય તે સ્વાભાવિક છે. જાે કે, હું બહાર જઈને શૂટિંગ કરવાના આઈડિયાની વિરોધમાં નથી પરંતુ આ મોટો ર્નિણય છે અને હું ચર્ચા કરવા માગતી હતી”, તેમ તનાઝે ઉમેર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.