Western Times News

Gujarati News

મોરબીમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થયો : ચિંતા વધી

Files Photo

મોરબી: કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. મોરબીમાં મ્યુકોરમાઇકોસિસ (દ્બેષ્ઠર્દ્બિઅર્ષ્ઠજૈજ) ના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોરોના હજી શમ્યો નથી, ત્યાં મ્યુકોરમાઇકોસિસના રોજના ૨૦ કેસ મોરબીમાં નોંધાઈ રહ્યાં છે. કોરોના બાદ અતિજીવલેણ સાબિત થતો આ રોગ મોરબી જિલ્લામાં જેટગતિએ વધી રહ્યો છે. જેથી સમગ્ર જિલ્લામાં ચિંતા વધી ગઈ છે.

મોરબી જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક માહિનામાં મ્યુકોરમાઇકોસિસના ૪૦૦ થી વધુ કેસ નોંધાયા છે. આ વિશે ડો.અલ્પેશ ફેફરે જણા્‌યું કે, ગત વર્ષે મોરબી જિલ્લામાં ૧૦ થી ૧૫ જેટલા આ રોગના કેસ દેખાતા હતા. ન માત્ર મોરબી, પરંતુ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે.

સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયું છે. ૪૦ વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જાેવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.