Western Times News

Gujarati News

તારક મહેતામાં જૂના અંજલી ભાભી આખરે પાછા આવશે ?

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શો છોડ્યો હતો અને સુનૈના ફોજદારે તેને રિપ્લેસ કરી હતી. સુનૈનાએ, તે પાત્રમાં ફિટ થવું કેટલું મુશ્કેલ હતું, જે અન્ય એક્ટ્રેસે ૧૨ વર્ષ સુધી ભજવ્યું હતું, તે વિશે જણાવ્યું.

જ્યારથી મને અંજલીના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે ત્યારે રિપ્લેસમેન્ટ પર સવાલો અટકવાનું નામ લઈ રહ્યા નથી. હું શરુઆતથી ખૂબ સ્પષ્ટ હતી કે હું મારી આંખોથી પાત્ર પર કામ કરીશ, નહીં કે કોણે કેટલા વર્ષ સુધી ભજવ્યું તેના પર. મેં આ પહેલા ઘણા શો (બેલન વાલી બહુ, અદાલત, એક રિશ્તા સાજેદારી કા) કર્યા છે.

આ શોનો ભાગ બનવાની તક મળી તે વાતની મને ખુશી છે. મને લાગે છે કે એક પાત્ર કોઈપણ એક્ટરથી ઉપર હોય છે અને આપણે એ યાદ રાખવું જરૂરી છે. નવા અંજલી ભાભીને જાેઈને કેવું લાગી રહ્યું છે તે દર્શકો પર છે. મને તેના વિશે જાણ નથી. અંજલી ભાભીનું પાત્ર ભજવી રહી છું તેને આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે.

જાે, નેહા મહેતા શોમાં પાછી આવવા માગતી હોય તો તેનો ર્નિણય પ્રોડ્યૂસર આસિત મોદી લેશે. હું આ પર કોમેન્ટ કરી શકું નહીં. સ્ટાઈલથી લઈને કપડા સુધી, તમામ ર્નિણય ક્રિએટીવ ટીમ લે છે. હું સમજું છું કે લોકોને પાત્ર પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પરંતુ મેં પ્રવાહની સાથે વહેવાનું નક્કી કર્યું હતું. જાે મેકર્સે વિચારીને રાખ્યું હોય તો હું કેવી રીતે પાત્રના લૂકમાં ફેરફાર કરી શકું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.