Western Times News

Gujarati News

જીએસટી પરિષદની ૪૩મી બેઠક ૨૮ મે ના રોજ ઓનલાઈન યોજાશે

નવીદિલ્હી: દેશના નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮મેએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૨૮મેએ જીએસટી બેઠકને સંબોધશે. તેમના કાર્યાલયે ટિ્‌વટર પર આ અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં તેમની સાથે નાણા રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુર પણ હશે.
કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ૨૮મેએ સવારે ૧૧ વાગ્યે ઓનલાઈન બેઠક યોજાશે આ અંગે મળતી માહિતી અનુસાર, નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮ મેએ સવારે ૧૧ વાગ્યે ૪૩મી જીએસટી પરિષદની બેઠક યોજશે.

આ બેઠકમાં તેમની સાથે નાણાં રાજ્યપ્રધાન સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાન તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારી ઉપસ્થિત રહેશે.પશ્ચિમ બંગાળના નાણાપ્રધાને જીએસટી બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતોઉલ્લેખનીય છે કે, આ પહેલા પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ બુધવારે કેન્દ્રિય નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ સાથે રાજ્યોમાં અછતના સંદર્ભમાં ઉલ્લેખનીય અછત અંગે ચર્ચા માટે જીએસટી પરિષદની ઓનલાઈન બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.