Western Times News

Gujarati News

અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોવિડ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ

વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે નેશનલ લેવલ ઓનલાઈન કવિઝનું આયોજન કરાયું છે. આ ઓનલાઈન અવેરનેસ પ્રોગ્રામમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ ભાગ લઈ રહ્યા છે.

શાળાના આચાર્યાશ્રી રજીતા તુમ્મા એ કહ્યું કે, ” શાળાના તમામ બાળકો, માતા-પિતા અને નાગરિકો કોરોના વાયરસ અંગે સંપૂર્ણ માહિતી મેળવે તેમજ વર્તમાન સમયમાં પોતાનું અને પરિવારનું કાળજી રાખે તે માટે આ ઓનલાઈન કવિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવેરનેસ પ્રોગ્રામમાં દેશના 10 રાજ્યો , 2 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અન્ય 4 દેશોમાંથી લોકોએ ભાગ લીધું છે. આ કવિઝ હજી 31 મે સુધી ચાલશે.”

આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનારા દરેકને પરિણામ અને ઈ-પ્રમાણપત્રો તરત જ ઑનલાઇન આપી દેવામાં આવે છે. શાળાના પ્રમુખશ્રી ધીરુભાઈ પરડવા અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી હસુબેન પરડવા એ શાળા પરિવારને આ કવિઝના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.