Western Times News

Gujarati News

ઝઘડીયાના રતનપુરની ખાડી માંથી છ ફુટ લાંબો મગર ઝડપાયો

ત્રણેક દિવસ પેહલા મગરે બકરા પર હુમલો કર્યો હતો : વનવિભાગ દ્વારા પાંજરુ ગોઠવાતા મગર ઝડપાયો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની ખાડી માંથી આશરે છ ફુટ જેટલો લાંબો મગર ઝડપાયો હતો.વનવિભાગની ટીમે પાંજરૂ ગોઠવીને મગરને  ઝડપી લીધો હતો.

મળતી  વિગતો મુજબ ૨૫ મી મે ના રોજ રતનપુર ગામની  ખાડીમાંથી એકાએક એક  મગરે પાણી માંથી બહાર આવીને ખાડી નજીક ચરતા એક બકરા પર હુમલો કરીને તેને પાણીમાં ખેંચી ગયો હતો.ગામ લોકોએ બુમાબુમ કરતા મગર બકરાને છોડીને પાણીમાં જતો રહ્યો હતો.મગરના હુમલાથી ઈજાગ્રસ્ત બકરો પાણીમાં ડુબી ગયો હતો અને આ બકરાનુ મોત થયુ હતુ.

ત્યાર બાદ વન વિભાગને જાણ કરાતા વનવિભાગ દ્રારા ૨૬ મી મેના રોજ ખાડીમાં મગરની હાજરી જણાતી હોવાથી તે સ્થળે પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ.૨૮ મી મે ના રોજ મગર પાંજરામાં ઝડપાયો હતો.આ મગરની ઉમર અંદાજે દોઢ વર્ષ,લંબાઈ ૬ ફુટ અને વજન ૪૦ કિલો જેટલુ હોવાનુ જાણવા મળ્યુ હતુ.ઝડપાયેલ મગરને સરદાર સરોવરમાં સલામત રીતે મુક્ત કરવામાં આવશે એમ જાણવા મળ્યુ છે.તો વનવિભાગ વિભાગ તેમજ સ્થાનિક ગ્રામજનોએ મગરને ઝડપી પાડવા ઝહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાની કેટલીક ખાડીઓમાં ઘણીવાર મગર દેખાતા હોવાની ચર્ચાઓ જાણવા મળી છે.પાછલા લાંબા સમય થી નર્મદા નદીમાં મગરોનો વસવાટ જોવા મળે છે.મગરો દ્વારા ભુતકાળમાં માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.