Western Times News

Gujarati News

અમરેલી સહિતના જિલ્લાઓમાં ૧૧ દિવસ બાદ પણ વીજળી ગુલ

અમરેલી,: ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત થઇ શક્યો નથી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડાના કારણે સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને થયું છે. જે સૌથી વધારે ૧૫૭૧ કરોડ કરતાં વધુ હોવાની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે ૨૭-મે-ની સ્થિતિએ રાજ્યના ૩૮૦ ગામમાં હજી અંધારપટની સ્થિતિ પ્રવર્તે છે.

ગુજરાતમાં તાઉ તેવાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જાેવા મળી છે. જેમાં અમરેલી , ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. તાઉ તે વાવાઝોડાના કારણે થયેલાંનુક્સાનમાં સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને ૧૫૭૨ કરોડ થયું હોવાની સત્તાવાર માહિતી મંતવ્યન્યૂઝને પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં આજે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ રાજ્યના ૩૮૦ ગામમાં અંધારપટની સ્થિતિ છે. જેમાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

ઉર્જાવિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ તાઉ તે વાવાઝોડાના પગલે ૨૨૦ કેવીલાઇનના ૨૭૭ ટાવર , ૬૬ કેવી લાઇનના ૭૪ ટાવર , ૩૦૮ ડબલ પોલ સ્ટ્રક્ચર અને ૧૩૨ કે.વી.લિનના ૨ ટાવર ક્ષતિગ્રસ્ત થયા છે. રાજ્યમાં કુલ ૧ લાખ ૨૨૦૮૧ વીજથાંભલા , ૪૬ હજાર ૧૮૨ ટ્રાન્સફોર્મર , ૧૬ હજાર ૦૨૫ કિલોમીટર લંબાઇની ભારે દબાણની અને ૭ હજાર ૨૮૦ કિલોમીચર લંબાઇની હળવા દબાણની લાઇનને નુક્સાન થયું છે.

રાજ્યમાં વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવા અમરેલી-ભાવનગર અને ગીર-સોમનાથ સહિતના પ્રભાવિત જિલ્લામાં વીજવિતરણ કંપનીની ૬૧૫ ટીમ અને ૪ હજાર ૪૮૯ કર્મચારીઓ ફરજ પર સતત વ્યસ્ત રહ્યા છે. ૨૭-મે-ની સ્થિતિએ ૩૮૦ ગામમાં હજી ખોરવાયેલો વીજપુરવઠો પુનઃકાયાર્ન્વિત કરવાની કવાયત યુદ્ધના ધોરણે થઇ રહી છે. પરંતુ હાલ તો પ્રભાવિત જિલ્લાની પ્રજા અંધારપટ વચ્ચે રહેતી હોવાથી સમગ્ર જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ત્યારે હવે વીજપુરવઠો ખોરવાયેલાં ગામમાં ઉજાસ ક્યારે આવશે ? તેની કાગડોળે શહેરીજનો રાહ જાેઇ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.