Western Times News

Gujarati News

સોનાલી અને તાહિરા કશ્યપે વાગોળી કેન્સર સાથેની સફર

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેનાં સોશિયલ મીડિયા ઉપર કેન્સર સમયનાં દિવસો યાદ કર્યા હતા

મુંબઈ: બોલિવૂડનાં ઘણાં એક્ટર્સ એવાં છે જેઓ કેન્સર સામે જંગ લડ્યા છે અને તે જીત્યા પણ છે. આ લિસ્ટમાં સોનાલી બેન્દ્રે અને બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેનાં સોશિયલ મીડિયા પર કેન્સર સમયનાં દિવસો યાદ કર્યા હતાં અને સાથે જ તેમની કેન્સરનાં સમયમાંથી બહાર આવાની જર્ની વિશે વાત કરી હતી. સોનાલી બેન્દ્રેને વર્ષ ૨૦૧૮માં કેન્સર થયાની જાણ થઇ હતી. આ સમયે તેની શું પરિસ્થિતિ હતી અને તેણે તે સમય કેવી રીતે પસાર ક્યો છે તે અંગે વાત કરતાં જણાવ્યું કે, ‘આજે જ્યારે પાછળ વળીને જાેવું છું

તો, હું જાેવું છું તાકાત, હું જાેવું છુ ડર પણ તે સમયે જ મે નક્કી કરી લીધુ હતું કે કેન્સરની બાદ મારું જીવન કેવું હશે. તેણે વધુમાં કહ્યું કે, ‘તમે જીવન આપ્યું છે તો તમે નક્કી કરો. આ સફર એ છે જે તમે ઇચ્છો છો. આપને જણાવી દઇએ કે, સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કની હોસ્પિટલમાં કેન્સરની ટ્રિટમેન્ટ લીધી હતી. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ કેન્સર સામેનો જંગ જીતી ચૂકી છે.

તેણે પણ કેન્સર સર્વાઇવર્સ ડે પર પોતાની કહાની અંગે વાત કરી છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનો ફોટો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે, તમારા ડાઘાઓથી શરમ ન અનુભવો. તે જાતે કહે છે, તમે કેટલાં મજબૂત છો. દરેકને તેમનાં ડાઘા હોય છે. કેટલાંકનાં દેખાય છે કેટલાંકનાં નથી દેખાતા. ગર્વથી તમારા ડાઘાને અનુભવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.