Western Times News

Gujarati News

અંબિકા પગપાળા સંઘ રવિવારે સાબરમતીથી અંબાજી જવા પ્રયાણ કરશે

અમદાવાદ, શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષ ભાદરવી પૂનમે પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા ૩૩ વર્ષથી ચાલી રહયુ છે. આ પદયાત્રાની શરૂઆત સ્વ. હરેશભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવી હતી આજે પણ આ પરંપરા તેમના સુપુત્ર રાજુભાઈ ભાવસાર અને તેમના પરિવારજનોએ જાળવી રાખી છે આ વર્ષે પણ યાત્રા સંઘ તા.૮.૯.ર૦૧૯ના રવિવારે સવારે ૭ કલાકે નીકળશે.

સાબરમતી ભાજપ વોર્ડના અગ્રણી રાજુભાઈ ભાવસારે જણાવ્યું હતું કે દર વર્ષે પદયાત્રા દ્વારા સંઘ નીકળે છે અને મા અંબાજીના મંદિરમાં ધજા ચઢાવવામાં આવે છે આ વર્ષે તા.૬ સપ્ટેમ્બરના શુક્રવારે ધજાનું પૂજન સાંજે ૭ થી ૧૦ વૈષ્ણવ સોસાયટી હાઈવે રામનગર સાબરમતી ખાતે રાખેલ છે. ત્યારબાદ ભાદરવા સુદ- ૧૦ ના રવિવારે પદયાત્રા સંઘ રામનગર ચોક આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરથી નીકળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.