Western Times News

Gujarati News

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી સગેવગે કરવાના કૌભાંડના પાંચની અટકાયત

પોલીસની વધુ તપાસમાં અન્યોની સંડોવણી બહાર આવે તેવી સંભાવના.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, બાલવાડીમાં લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાના કૌભાંડના મામલા માં પોલીસે પાંચ આરોપીઓ ની અટકાયત કરી આગળ ની તપાસ હાથધરી છે.

ભરૂચ ના દયાદરા ગામની સીમમાં મોહન તલાવડી પાસે બાલવાડીના બાળકો ના સંગ્રહ કરાયો હતો ટેક હોમ રાશનના પેકેટ સંગ્રહ રાખી વેંચાણ કરાતું હોવાનું સામે આવ્યા બાદ પોલીસે રૂ.64 હજાર થી વધુ નો જથ્થો જપ્ત કરી  ભરૂચ તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથધરી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમગ્ર મામલે આગળ તપાસ વધારતા ભરૂચ તાલુકા પોલીસે ગામ ની સીમ માં પડાવ નાખી  મોહન તલાવડી પાસે રહેતા પાંચ આરોપીઓ ની અટકાયત કરી તપાસ હાથધરી છે.

પોલીસની તપાસમાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તે કોણે આપવામાં આવતો હતો.કેટલા સમય થી આ રીતે આ કાળો કારોબાર ચાલતો હતો તેમાં અન્ય કોણી સંડોવણી હતી તે બહાર આવશે ત્યારે હજુ વધુ ચોંકાવનાર ખુલાસા  થયા તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.