Western Times News

Gujarati News

દિલ્હીમાં દર બીજાે વ્યક્તિ બેકાર જ્યારે ગુજરાતમાં બેકારી માત્ર ૨.૩ ટકા

Files Photo

નવીદિલ્હી: ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી ૪૫ ટકા સુધી પહોંચી ચુકી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો દિલ્હીમાં દરેક બીજાે વ્યક્તિ બેકાર છે. જ્યારે હરિયાણામાં બેરોજગારી દર ૨૯.૧ ટકા અને તામિલનાડુમાં ૨૮ ટકા છે.

આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, દેશનો સરેરાશ બેરોજગારી દર ૧૦.૮ ટકા છે. મે મહિનામાં તે ૧૧.૯ ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૧૨.૯ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૯.૮ ટકા છે. રાજ્ય પ્રમાણે બેકારીના આંકડામાં ગુજરાતનો દેખાવો ઘણો સારો છે. સૌથી ઓછી બેકારી જે રાજ્યોમાં છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજ્ય પ્રમાણેના ટકાવારીના આંકડા આ પ્રમાણે છે.

દિલ્હી ૪૫.૬,હરિયાણા ૨૯.૧,તામિલનાડુ ૨૮,રાજસ્થાન ૨૭.૬,આંધ્ર ૧૩.૫,બિહાર ૧૩.૮ ટકા,ગોવા ૨૦.૬ ટકા,જમ્મુ કાશ્મીર ૧૨.૧ ટકા,ઝારખંડ ૧૬ ટકા,કેરલ ૨૩.૪ ટકા,પોંડીચેરી ૨૪ ટકા,ત્રિપુરા ૨૦ ટકા,બંગાળ ૧૯.૩ ટકા,,આસામ ૦.૧,ગુજરાત ૨.૩,કર્ણાટક ૫.૩,મધ્યપ્રદેશ ૫.૩,ઓરિસ્સા ૭,ઉત્તરાખંડ ૫.૫,ઉત્તર પ્રદેશ ૬.૯ વ્યાપારિક સંગઠન કેટનુ કહેવુ છે કે, બજારમાં હજી પણ અનિશ્ચિતતાનો માહોલ છે. બજારો ખુલ્યા છે પણ લોકો પાસે કેશની અછત હોવાથી લોકો ખરીદી કરવાથી બચી રહ્યા છે અને બજારમાં તેજી આવી રહી નથી. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. તેના કારણે માર્કેટમાં રોકાણ થઈ રહ્યુ નથી. વેપારીઓને ડર છે

કે, જાે ત્રીજી લહેર આવીને લોકડાઉન લાગુ થયુ તો પૈસા ફસાઈ શકે છે. જેના કારણે પણ માર્કેટમાં સુસ્તી દેખાઈ રહી છે. જાેકે હવે લોકડાઉન હળવુ થઈ રહ્યુ છે ત્યારે આગામી મહિનાઓમાં બેકારીની સ્થિતિ સુધરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.