Western Times News

Gujarati News

નાગપુરમાં એક જ પરિવારના ૫ લોકોની હત્યાથી ભારે હંગામો

Files Photo

નાગપુર: નાગપુરમાં એક શખ્સે તેના બે માસૂમ બાળકો, પત્ની, સાસુ અને ભાભીના ગળા કાપીને હત્યા કરી હતી. તે પછી તેણે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. એક જ પરિવારના ૫ લોકોની હત્યાથી નાગપુર શહેરમાં હંગામો થયો હતો.

હૃદય કંપાવી દે તેવી આ ઘટના તહસીલ પોલીસ મથકના ગોલીબાર ચોક પાસે પટ્ટી ચાલીની છે. જ્યાં રવિવાર અને સોમવારે એક વ્યક્તિએ ૫ લોકોની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોનાં નામ વિજયા માતુલકર, પરી માતુલકર સાહિલ માતુલકર, અમિષેશ બોબડે, લક્ષ્મી બોબડે છે. આ ૫ લોકોની હત્યા કરનાર વ્યક્તિનું નામ આલોક માતુલકર છે.

પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ આલોક છે. પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. તે જ સમયે, આ ઘટના ગેરકાયદેસર સંબંધ હોવાના કારણે હોવાની પણ ચર્ચા છે. જાે કે, હાલમાં પોલીસ મુખ્યત્વે કંઇ પણ કહેવાનું ટાળી રહી છે.
પોલીસ કમિશનર અમિતેશ કુમાર કહે છે

આલોક અમરાવતીમાં કપડાંના ધંધા સાથે સંકળાયેલ હતો. ત્યાં કપડાના ધંધામાં ખોટ થવાને કારણે તે નાગપુર આવ્યો હતો. આ પછી તેણે નાગપુરમાં ભાડેથી મકાન લીધું હતું અને તે તેની પત્ની અને બંને બાળકો સાથે રહેવા લાગ્યો હતો. તેની સાસુ લક્ષ્મી, ભાભી અમિષા અને સસરા તેના ઓરડાથી થોડે દૂર ભાડાના મકાનમાં રહેતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આલોકે ભાડાના મકાનમાં ભાભી અને સાસુ મારી નાખ્યા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ તેણે પત્ની અને બંને બાળકોની હત્યા કરી હતી. આ પછી તેણે આત્મહત્યા પણ કરી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. એક જ પરિવારના ૬ સભ્યોના મોત બાદ નાગપુર શહેરમાં હંગામો થયો હતો. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ પ્રાથમિક માહિતી આ મામલે પારિવારિક વિવાદ તરીકે જણાવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.