Western Times News

Gujarati News

રાજપારડી ગામે દુકાનમાં કામ કરતા શ્રમિકનુ વીજ કરંટ થી મોત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે એક દુકાનમાં કામ કરતાં શ્રમિકનુ વીજ કરંટ લાગતા મોત નીપજ્યુ હતું.

આ અંગે મળતી વિગતો મુજબ રાજપારડીના કાલિયાપુરા જવાના રસ્તા પર આવેલ એક હાર્ડવેરની દુકાનમાં ઝઘડીયા તાલુકાના માલીપીપર ગામનો બાબરભાઈ ભાઈલાલભાઈ વસાવા નામનો ઇસમ ગતરોજ દુકાનમાં સાફસફાઈના કામ માટે મજુરી કામે આવ્યો હતો.દરમ્યાન તે દુકાનની બાજુમાં આવેલ  સ્ટોર રુમમાં કામ કરવા ગયો હતો.

ત્યાર બાદ દુકાનમાં કામ કરતો કામીલભાઈ તૌફિકભાઈ સિંધી નામનો યુવક કામ જોવા માટે સ્ટોર રુમમાં ગયો ત્યારે બાબરભાઈ સ્ટોર રુમમાં મુકેલ મોટરની નીચે પડેલા હતા.તપાસ કરતા તેઓ મરણ પામ્યા હતા.સ્ટોર રુમમાં મુકેલ મોટરના વાલ્વ માંથી પાણી લીકેજ થતાં સ્ટોર રુમમાં પાણી ભરાઈ ગયેલ હતુ.

સ્ટોર રુમમાં કામ કરતી વખતે તેઓ અકસ્માતે મોટરને અડી જતાં તેમને વીજ કરંટ લાગતા મરણ પામ્યા હોવાનું જણાતા કામીલભાઈ તૌફિકભાઈ સિંધી રહે.ભાલોદ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં આ ઘટનાની જાણ કરતા પોલીસે તપાસ હાથધરી હતી.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.