Western Times News

Gujarati News

રાષ્ટ્રીય સ્તર પર ક્ષેત્રીય પક્ષોનો ફ્રંટ બનાવવામાં આવશે

ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ પહેલા પાર્ટી અધ્યક્ષ સુખબીર બાદલે આપ્યા છે આ પહેલા પાટીએ પૂર્વ સાંસદ પ્રો પ્રેમ સિંહ ચંદુમાજરા,રાજયસભા સભ્ય બલવિંદર સિંહ વગેરેની એક કમિટિ બનાવી દેશની તમામ ક્ષેત્રીય પાર્ટીઓને એક મંચ પર લાવવાની જવાબદારી આપી છે.

કમિટિ અત્યાર સુધી ટીએમસીના પ્રમુખ મમતા, એનસીપી નેતા શરદ પવાર ડીએમકે નેતા એમ કે સ્ટાલિન ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને શિવસેના નેતા ઉદ્વવ ઠાકરેથી મળી ચુકયા છે હરિયાણામાં ઇનેલોના નેતા ઓમ પ્રકાશ ચૌટલાનો તાકિદે સંપર્ક કરવામાં આવશે ચૌટાલા પરિવારની સાથે બાદલ પરિવારને જુના સંબંધ છે ભાજપથી સંબંધ તોડયા બાદ અકાલી દળે આગામી વર્ષ યોજાનાર પંજાબની વિધાનસભા ચુંટણી માટે બસપા સાથે સમજૂતિ કરી લીધી છે.પાર્ટીએ તેના માટે ૨૦ બેઠકો છોડી છે

આ ઉપરાંત પાર્ટી ત્યાં ડાબેરીઓને પણ સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે સુખબીર બાદલ રાષ્ટ્રીય સ્તર પર એક મોટું ગઠબંધન ઉભુ કરવા ઇચ્છે છે જે ૨૦૨૪માં ભાજપને જાેરદાર ટકકર આપી શકે જાે કે ભાજપ રાષ્ટ્રીય પાર્ટી છે આથી અકાલી દળ ક્ષેત્રીય પાર્ટીઓનું ગઠબંધન કરવા ઇચ્છે છે પાર્ટી સતત મોદી સરકાર પર સંધવાદના માળખાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવી રહી છે જેના આધાર પર તેમણે ત્રણ કૃષિ કાનુનોને બનાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.