Western Times News

Gujarati News

ધોરણ-૧૦ રિપીટર્સનું માત્ર ૧૦.૪ ટકા પરિણામ

ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦ના ૩.૫ લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયુ છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે ૮ વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જઇને તપાસી શકે છે. આ વખતે ધોરણ ૧૦નાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૦.૪% આવ્યું છે.

ગુજરાતમાં ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. ૨ લાખ ૯૮ હજાર ૮૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૩૦,૦૧૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આખા રાજ્યનું માત્ર ૧૦.૪% પરિણામ આવ્યું છે. ૨૦% પાર્સિંગ ધોરણનો લાભ મેળવી ૧૯૧ પરીક્ષાર્થી પાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૧૫ જુલાથી ૨૮ જુલાઈ દરમિયાન લેવાયેલી ધો.૧૦-૧૨ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં ૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ના પરિણામ બાદ હવે આજે ૨૫મીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર થવાનું છે.

કોરોનાને કારણે આ વર્ષે ધો.૧૦માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર-ખાનગી વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા. ખાનગી રીપિટર તરીકે ૧૫૦૯૦ વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ કેટેગરીમાં ૫૨૦૯૦ અને બાકીના ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર છે.કુલ ૩,૭૮,૪૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.

આ પરીક્ષાનું પરિણામ ખૂબ જ મહત્વનું છે કારણ કે, ધો.૧૦ પછીના ડિપ્લોમા,આઈટીઆઈ અને ધો.૧૧માં આ પરિણામ બાદ પ્રવેશમાં વધારો થશે. વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો સિટ નંબર(બેઠક ક્રમાંક) ભરીને જાેઇ શકાશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/એસઆર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.