Western Times News

Gujarati News

કૃષ્ણા અભિષેક ગોવિંદાનો ચહેરો નથી જોવા માગતો

મુંબઈ, કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદાની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બંને વચ્ચે જે કડવાશ છે તે દૂર થવાનું નામ લઈ રહી નથી. કૃષ્ણા અભિષેકે ફરી એકવાર ‘ધ કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડ માટે શૂટિંગ કરવાની ના પાડી દીધી છે કારણ કે તેમા તેના મામા ગોવિંદા અને તેની પત્ની સુનીતા અહૂજા મહેમાન બનીને આવવાના છે.

આ બીજી વખત છે જ્યારે કૃષ્ણા અભિષેકે ગોવિંદાની સાથે કોઈ એપિસોડનું શૂટિંગ કરવાની ના પાડી દીધી હોય. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં પણ કૃષ્ણાએ તે એપિસોડમાં કામ કર્યું નહોતું જેમાં ગોવિંદા પત્ની સાથે આવ્યો હતો.

જ્યારે આ વિશે કૃષ્ણાને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યું ‘છેલ્લા ૧૫ દિવસથી હું રાયપુર અને મુંબઈની વચ્ચે પોતાની ફિલ્મ અને કપિલ શર્મા શો માટે આવ-જા કરી રહ્યો છું. હું હંમેશા શો માટે ડેટ રાખુ છું પરંતુ જ્યારે મને જાણ થઈ કે તે લોકો આવી રહ્યા છે તો મારે તે એપિસોડમાં જવુ નહોતું. તેથી મેં મારી ડેટ્‌સ પણ ગોઠવી નહીં.

મને લાગે છે અમે બંને સાથે આવવા ઈચ્છતા નથી. કૃષ્ણાએ આગળ કહ્યું ‘આ મારા તરફથી પણ હશે અને તેમના તરફથી પણ. આ એક કોમેડી શો છે અને ખબર નહીં ક્યારે કોઈ વાતનો વિવાદ બની જાય. પછી એવુ થશે કે આવુ કહી દીધુ, તેવુ કહી દીધું. હું કોઈ બખેડો કરવા માગતો નથી. મને પાક્કો વિશ્વાસ છે કે જ્યારે ગોવિંદાજી શોમાં જશે, તો દર્શકો મારા અને તેમના વિશે કોઈ કટાક્ષ સાંભળવા માગશે, તેથી સારું રહેશે કે હું પર્ફોર્મ જ ન કરું.

આર્ટિસ્ટ ઈમોશનલ હોય છે તેમને કામ કરતા રહેવું જાેઈએ પરંતુ તે રીતે પણ નહીં જ્યાં બંને એકબીજાને જાેવાનું પણ પસંદ ન કરતા હોય. અમારા વચ્ચેની કડવાશ દૂર થઈ નથી. કૃષ્ણાએ તેમ પણ કહ્યું કે, ગોવિંદાને બોલાવવા માટે તેણે ક્યારેય કપિલ શર્મા અથવા ક્રિએટિવ ટીમ સાથે કોઈ વાત કરી નથી.

કોમેડિયન-એક્ટરે કહ્યું ‘આખરે હું કેમ ટીમના ગોવિંદાજી સાથેના સંબંધ ખરાબ કરવા ઈચ્છીશ?. આ મારા પરિવારની અંદરની વાત છે. કપિલ તો ગોવિંદાનો ફેન છે અને બંનેનું બોન્ડિંગ પણ સારું છે. હું ક્યારેય કપિલ અને ગોવિંદાજીના સંબંધો ખરાબ નહીં કરું.

મામા-ભાણેજ વચ્ચે વિવાદ ૨૦૧૮માં ત્યારે શરૂ થયો હતો ત્યારે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે ટ્‌વીટ કર્યું હતું કે, કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ ટ્‌વીટ પર સુનીતા અહૂજાએ કહ્યું હતું કે, ટ્‌વીટ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. બાદમાં ગોવિંદા અને સુનીતાએ કૃષ્ણા-કાશ્મિરા સાથેના સંબંધ ખતમ કરી દીધા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.