Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના છિંદવાડામાં રોડ અકસ્માતમાં ૬ લોકોના મોત

Files Photo

છિંદવાડા, જિલ્લાના બેતુલ રીંગ રોડ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૨ લોકની હાલત ગંભીર છે. આ તમામ ૮ લોકો કારમાં નાગપુરથી ઉમરેઠ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. ડીએસપી સુદેશ સિંહે આ અંગે માહિતી આપી છે.

કારમાં ૮ લોકો સવાર હતા,છિંદવાડા-બેતુલ રોડ પર રીંગ રોડ પાસે પાછળથી એક આયશર ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જિલ્લા હોસ્પિટલમાં મોત થયું હતું, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ૨ લોકોની સારવાર ચાલી રહી છે.

ટ્રાફિકના ડીએસપી સુદેશ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો નાગપુરથી ઉમરેઠ સ્વિફ્ટ કારમાં જઈ રહ્યા હતા, જેમાં ૫ બાળકો અને એક મહિલા સહિત ૮ લોકો સવાર હતા.૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યા તબીબે ૬ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. ડીએસપીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન પાછળથી સંપૂર્ણપણે દબાઇ ગયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.