Western Times News

Gujarati News

ત્રણ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા મધ્યપ્રદેશ ગવર્નર મંગુભાઇ પટેલનો ખેડબ્રહ્મામાં સત્કાર સમારંભ યોજાયો 

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીય મંગુભાઈ નિનામા આજરોજ તારીખ 12- 9- 2021 ને રવિવારના સવારે 10:00 વાગે ખેડબ્રહ્મા શહેર ની પાસે આવેલ આરડેકતા કોલેજમા આવતા ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લોકો તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાવામા આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં આરડેકતા કોલેજ ની દીકરીઓ એ આદિવાસી નૃત્ય કરીને મહેમાનોનું મન જીતી લીધું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પ્રભારી ભરતભાઈ આર્ય, પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી  પી.સી. બરંડા, એ પી એમ સી ના ચેરમેન જશુભાઇ પટેલ, સાબર ડેરીના ડિરેક્ટર brijesh patel સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં આરડેકતા કોલેજ ની દીકરીઓ એ આદિવાસી નૃત્ય કર્યું હતું તે પછી સ્વાગત પ્રવચન રાજુભાઈ અસારી એ કર્યું હતું. તે પછી ભાજપના રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા તથા રાજ્યપાલ માં. શ્રી મંગુભાઇ પટેલ દ્વારા પ્રવચન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ લુકેશભાઈ ગમારે કરી હતી. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરડેકતા કોલેજ ના આર.ડી પટેલે કર્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.