Western Times News

Gujarati News

નો રિપીટ થિયરીને અમે આવકારી રહ્યા છીએ: કુંવરજી બાવળિયા

રાજકોટ, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં કુલ ૨૭ મંત્રીઓ હશે. જેમાંથી અત્યાર સુધી ૨૩ મંત્રીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. આ નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હુકમનો એક્કો સાબિત થશે. પરંતુ આ વચ્ચે વિજય રૂપાણી કેબિનેટના તમામ મંત્રીઓ કપાઈ ગયા છે. જેમાં કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા પાસેથી પણ મંત્રી પદ છીનવાયુ છે.

કોળી સમાજમાંથી ત્રણ નવા ચહેરાની પસંદગી કરાઈ છે. જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાનો સમાવેશ કરાયો છે.

આવામાં મંત્રી પદ છીનવાતા કુંવરજી બાવળિયાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજકોટ પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ નવા મંત્રીમંડળ વિશે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે ર્નિણય કર્યો તે શિરોમાન્ય છે.

અમે ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઈશું. પક્ષના ‘નો રિપીટ થિયરી’ને અમે આવકારી રહ્યા છીએ. નો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જાેઈએ. તેથી સૌરાષ્ટ્ર કોઈએ વિરોધ કરવો નહિ.આ પહેલા કુંવરજીના સમર્થકોએ મંત્રીમંડળમાં બાવળિયાને મંત્રી ન બનાવાતા વિરોધ કર્યો હતો અને બજારો બંધ કરાવવા માટે માર્ગો ઉપર ઉતરી આવી ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.