Western Times News

Gujarati News

ભારત બંધના એલાન વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતનું મૃત્યુ

નવી દિલ્હી, ભારત બંધ આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પોલીસના કહેવા પ્રમાણે ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા જાણી શકાશે.

ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોને આ ભારત બંધમાં વિપક્ષી પાર્ટીઓનો પણ સાથ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના ખેડૂતોના ભારત બંધનું સમર્થન કરી ચુક્યા છે.

સંયુક્ત કિસાન મોરચાના તાજેતરના નિવેદન પ્રમાણે ભારત બંધને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. પંજાબ, હરિયાણા, કેરળ, બિહારમાં સંપૂર્ણપણે શટડાઉન છે. તેમાં તમામ પ્રકારની સંસ્થાઓ, માર્કેટ અને ટ્રાન્સપોર્ટ બંધ છે. SKMના દાવા પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ તેમના ભારત બંધને સમર્થન મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.