Western Times News

Gujarati News

૧૦૮ ઈમરજન્સી સેવા છોટાઉદેપુરના મૃતક પાઇલોટના પરિવારને સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા અપાયા

અમદાવાદ, છોટાઉદેપુર જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર ૧૩ વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ રમણભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા, અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

પરંતુ સારવાર દરમ્યાન ગોત્રી હોસ્પિટલમાં તાઃ૧૨-૦૫-૨૦૨૧ નાં રોજ જીવ ગુમાવ્યો હતો. તેમને કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી. જીલ્લા કલેકટર અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખ (રૂ.૫૦,૦૦,૦૦૦)ની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વ રમણભાઈ બારીયા કોરોના મહામારી દરમ્યાન સંક્રમણ થતા મૃત્યુ પામેલ હોઈ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ ઇન્શ્યોરેન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી અને સરકારના નિયત કરેલ નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજાે સાહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલ હતી. સરકારના અધિક નિયામકની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની સફળ કામગીરી કરેલ હતી.

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI 108 ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા જરૂરી કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે. પરિવારના સભ્યો તેઓના પિતા GVK EMRI સાથે જાેડાઈ ૧૦૮ ઇમરજન્સી સેવામાં આવી ઉમદા અને શ્રેષ્ઠ કામગીરીની ફરજ બજાવતા હતા તે માટે ગર્વ અનુભવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.