Western Times News

Gujarati News

નાગા ચૈતન્યએ પુત્રના લગ્નમાં ૧૦ કરોડ વાપર્યા હતા, હવે છૂટાછેટા માટે પુત્રવધૂને ૫૦ કરોડ આપવા પડશે !

ચેન્નાઈ, સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી રહી છે, પરંતુ કોઇએ આના પર ઓફિશિયલ નિવેદનો નથી આપ્યા. સામંથાએ સોશ્યલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેની હટાવીને ફક્ત ‘એસ’ કરી દીધુ હતુ આ પછી આ વાતે વધુ જાેર પકડ્યુ છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી જાેડી સામંથા અને નાગા ચૈતન્ય છેલ્લાં ઘણા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. બંનેની વચ્ચે બધુ બરાબર ન હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડાના સમાચાર ચારેબાજુ છવાયેલા છે. છૂટાછેડાને લઈને સમાચાર જાેરશોરથી ચાલી રહ્યા છે પરંતુ બંનેમાંથી કોઈએ તેના પર નિવેદન આપ્યું નથી. સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાના નામમાંથી અક્કિનેની હટાવીને માત્ર એસ કરી દીધું છે. જેના પછી હવે આ બધું જગજાહેર થઈ ગયું છે.

સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્નજીવનમાં ભંગાણ પડવાનું કારણ અભિનેત્રીની સિનેમા અને કારકિર્દી પ્રત્યે પ્રેમ છે. લગ્ન પછી પણ સામંથા ફિલ્મોમાં એક્ટિવ રહી છે અને ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવતી રહે છે. પરંતુ નાગા ચૈતન્ય અને તેના સસરા નાગાર્જુનને તે પસંદ નથી. રિપોર્ટ્‌સ પ્રમાણે બંને સામંથાને ઘણા સમયથી મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે પોતાનું મન બદલે અને સાસુ અમલા અક્કિનેનીના પગલા પર ચાલે.

સામંથા અને નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. બંનેને સાઉથ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના ક્યૂટ કપલ માનવામાં આવે છે. તે સમયે એક ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગ ગોવામાં થયું હતું અને દુનિયાભરમાં તેની ખૂબ ચર્ચા થઈ હચી. એટલું જ નહીં મોટા પરિવારમાંથી આવતાં નાગાર્જુને ઘર પર વહુનું સ્વાગત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સામંથા અને નાગા ચૈતન્યના લગ્નની બજેટની વાત કરીએ તો લગ્નનું બજેટ લગભગ ૧૦ કરોડ રૂપિયા હતું.

રિપોર્ટ્‌સનું માનીએ તો આ બંનેની વચ્ચે સુલેહ કરાવવા માટે પરિવાર પણ વચ્ચે આવી ગયો છે. બંનેની વચ્ચે મતભેદોને દૂર કરવા માટે પરિવારે તેનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું છે. જેના પછી પણ તે બંનેની વચ્ચેનો તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. સામંથા અક્કિનેનીએ નાગા ચૈતન્ય પાસેથી છૂટાછેડા લેવા માટે એક મોટી રકમ માગી છે.

રિપોર્ટનું માનીએ તો સામંથા અક્કિનેનીને નાગા ચૈતન્ય પાસેથી છૂટાછેડા માટે ૫૦ કરોડ રૂપિયા વળતર તરીકે માગ્યા છે. તેમાં ફિક્સ્ડ એસેટ્‌સ અને કરંટ એસેટ્‌સ પણ છે. બંને સિતારાઓએ એકબીજાથી અલગ થવાનું મન બનાવી લીધું છે. છૂટાછેડાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને માત્ર ૨-૩ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.