Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે

ગાંધીનગર, ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત ૨૪ મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા ૩૦ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર અને ૭ ઓક્ટોબર, ૧૦ ઓક્ટોબર સુધી યોજાશે.

મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ૩૦ સપ્ટેબરે ખેડા, ૧ ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને ૨ ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ૦૩ ઓક્ટોબરે મજુરા, ૦૭ ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને ૮ ઓક્ટોબરે અમદાવાદ શહેરનો કરશે પ્રવાસ, શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી ૩ ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, ૭ ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને ૮ ઓક્ટોબરે રાજકોટ શહેરનો કરશે પ્રવાસ,આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ૩ ઓક્ટોબર વિસનગર, ૭ ઓક્ટોબરે.

ગાંધીનગર જિલ્લો અને ૮ ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો કરશે પ્રવાસ,માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી ૩ ઓક્ટોબરે સુરત પશ્ચિમ, ૭ ઓક્ટોબરે ભરુચ અને ૮ ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો કરશે પ્રવાસ,કૃષિમંત્રી રાઘવજી પટેલ ૩ ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય.

૭ ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને ૮ ઓક્ટોબરે જુનાગઢ શહેરનો કરશે પ્રવાસ, આરોગ્યમંત્રી કનુ દેસાઇ ૭ઓક્ટોબરે નવસારી,૮ ઓક્ટોબરે સુરત શહેર અને ૯ ઓક્ટોબરે પારડીનો કરશે પ્રવાસ,વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ૩ ઓક્ટોબરે લીમડી.

૭ ઓક્ટોબરે જામનગર જીલ્લો અને ૮ ઓક્ટોબરે જામનગર શહેરનો કરશે પ્રવાસ, પુરવઠા મંત્રી નરેશ પટેલ ૩ ઓક્ટોબરે સુરત જીલ્લો, ૧ ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને ૨ ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે પ્રવાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર ૭ ઓક્ટોબરે બનાસકાંઠા,૮ ઓક્ટોબરે કચ્છ અને ૧૦ ઓક્ટોબરે અસારવા ખાતે કરશે પ્રવાસ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ૩ ઓક્ટોબરે મહેમદાબાદ,૭ ઓક્ટોબરે આણંદ અને ૮ ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો કરશે પ્રવાસ.

આવીજ રીતે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ ૭ ઓક્ટોબરે ખેડા, ૮ ઓક્ટોબરે ગાંધીનગર અને ૯ ઓક્ટોબરે નિકોલ વિધાનસભાનો કરશે પ્રવાસ, બ્રિજેશ મેરજા ૩ ઓક્ટોબરે મોરબી, ૭ ઓક્ટોબરે પોરબંદર અને ૮ ઓક્ટોબરે સુરેન્દ્રનગર જિલ્લાનો કરશે પ્રવાસ,જીતુ ચૌધરી ૩૦ સપ્ટેબરે તાપી, ૧ઓક્ટોબરે સુરત જીલ્લો અને ૨ ઓક્ટોબરે ડાંગ ૩ ઓક્ટોબરે કપરાડાનો કરશે પ્રવાસ,મનીષાબેન વકીલ ૩૦ સપ્ટેમ્બરે મહીસાગર, ૧ ઓક્ટોબરે આણંદ, ૨ ઓક્ટોબરે વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર) કરશે પ્રવાસ, મુકેશ પટેલ ૩ ઓક્ટોબરે ઓલપાડ, ૭ ઓક્ટોબરે વલસાડ અને ૮ ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે.

પ્રવાસ,નિમિષાબેન સુથાર ૩૦ સપ્ટેમ્બરે છોટા-ઉદેપુર, ૧ ઓક્ટોબરે પંચમહાલ, ૨ ઓક્ટોબરે મોરવા હડફનો કરશે પ્રવાસ,અરવિંદ રૈયાણી ૩ ઓક્ટોબરે રાજકોટ પૂર્વ, ૭ ઓક્ટોબરે મોરબી અને ૮ ઓક્ટોબરે બોટાદ જિલ્લાનો કરશે પ્રવાસ,ડૉ.કુબેર ડિંડોર ૩૦ સપ્ટેમ્બરે અરવલ્લી, ૧ ઓક્ટોબરે દાહોદ અને ૨ ઓક્ટોબરે સંતરામપૂર ખાતે કરશે પ્રવાસ, કીર્તિસિંહ વાઘેલા ૩૦ સપ્ટેબરે સાબરકાંઠા,૧ ઓક્ટોબરે મહેસાણા અને ૨ ઓક્ટોબરે કાંકરેજ જિલ્લાનો કરશે પ્રવાસ,ગજેન્દ્રસિંહ પરમાર ૩૦ સપ્ટેબરે પાટણ,૧ ઓક્ટોબરે બનાસકાંઠા અને ૨ ઓક્ટોબરે પ્રાંતિજ જિલ્લાનો પ્રવાસ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.