Western Times News

Gujarati News

વનરાજ અને અનુજ રિયલ લાઈફમાં પણ દુશ્મન છે!

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સીરિયલ દર્શકોના દિલ જીતી રહી છે. ખાસ કરીને જ્યારેથી ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ કપાડિયાની એન્ટ્રી થઈ છે ત્યારથી લોકોનો હવે શું થશે તે જાણવા માટે આતુર રહે છે.

અનુપમાના જીવનના બે પુરુષો- તેનો પૂર્વ પતિ વનરાજ અને તેનો કોલેજકાળનો મિત્ર અનુજ હંમેશા એકબીજા સાથે ઝઘડો દેખાડવામાં આવ્યો છે. અનુજ અને અનુપમા વચ્ચેની મિત્રતા વનરાજને પસંદ ન હોવાથી તે તેના પર શંકા કરતો રહે છે અને અમુક વખતે તો હદ પાર કરી દે છે.

સીરિયલમાં જેમ વનરાજ અને અનુજ કપાડિયાને દુશ્મન બતાવવામાં આવ્યા છે, તેવું જ કંઈક રિયલ લાઈફમાં પણ થઈ રહ્યું હોવાના રિપોર્ટ્‌સ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, વનરાજનું પાત્ર ભજવી રહેલા સુધાંશુ પાંડે અને અનુજ કપાડિયાનું પાત્ર ભજવી રહેલા ગૌરવ ખન્નાને રિયલ લાઈફમાં જરાય બનતું નથી. ‘એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે’ તેમ બંને કેમેરા બંધ થતાં જ મોં ફેરવી લે છે.

આ વાત કેટલી હદે સાચી છે તે તો બંને એક્ટર્સ અને ‘અનુપમા’ની ટીમ જાણે. અનુપમા સીરિયલની ટીમના ફાંટા પડી ગયા હોવાનું પહેલીવાર બન્યું હોય તેવું નથી. થોડા મહિના પહેલા પણ રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની ટીમ પડી ગઈ હોવાના સમાચાર હતા. એક સમય એવો હતો જ્યારે બધા સેટ પર સંપીને રહેતા હતા અને મજાક-મસ્તી કરતા હતા. પરંતુ બાદમાં એવું કંઈક થયું કે ભાગલા પડી ગયા.

રૂપાલી ગાંગુલીની ટીમમાં અલ્પના બુચ, આશિષ મેહરોત્રા અને મુસ્કાન બામણે છે જ્યારે સુધાંશુ પાંડેની ટીમમાં મદાલસા શર્મા, અનઘા ભોસલે અને પારસ કલનાવત છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ એકબીજાની પોસ્ટને લાઈક કરતા નથી.

અનુપમા’ના હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુજ અને વનરાજ વચ્ચે થયેલા ઝઘડાનો દોષનો ટોપલો અનુપમા પોતાના માથા પર લે છે. તે એક ખૂણામાં બેસીને રડવા લાગે છે. આ સમયે અનુજ તેની પાસે આવે છે અને તેની સ્થિતિ જાેઈને ભાવુક થઈ જાય છે. તે અનુપમાને પોતાને દોષિત ન માનવા માટેનું કહે છે આટલું જ નહીં વનરાજના ટોંણાથી છૂટકારો મેળવવા માટે શાહ હાઉસ છોડવાનું પણ કહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.