Western Times News

Gujarati News

શાહરુખ ખાન માટે લખવામાં આવેલી કવિતા વાયરલ થઈ

મુંબઈ, જ્યારથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી શાહરુખ ખાન અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શાહરુખ ખાન અને ગૌરી ખાન દીકરાના કારણે ઘણાં ચિંતામાં છે. રિપોર્ટ્‌સ અનુસાર, શાહરુખ ખાન ઉપરથી શાંત અને મજબૂત દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તે ભાંગી પડ્યો છે અને અસહાય અનુભવ કરી રહ્યો છે.

મુંબઈના એક ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આર્યન ખાન સહિત સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. આર્યન ખાન અત્યારે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શાહરુખ ખાન પર અત્યારે સંકટ ટોળાયું છે ત્યારે તેના ફેન્સની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટી પણ તેના સમર્થનમાં આગળ આવ્યા છે. કિંગ ખાનના ફેન્સ બેનર્સ અને પોસ્ટર્સ લઈને મન્નતની બહાર ઉભા રહે છે.

સેલિબ્રિટી પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શાહરુખને સમર્થન આપતી પોસ્ટ કરે છે. કવિ અખિલ કટિયાલે શાહરુખ ખાન પર એક કવિતા લખી છે, જે લોકોને ખુબ પસંદ આવી રહી છે. સ્વરા ભાસ્કર અને નીરજ ઘેવાણ, કવિતા ઢિલોણ વગેરે સેબેલ્સે આ કવિતાને શેર કરી છે.

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ કવિતા શેર કરી છે અને સાથે શાહરુખ ખાનને ટેગ પણ કર્યો છે. ફિલ્મ મેકર નીરજે પણ આ કવિતા શેર કરીને સાથે કેપ્શન લખ્યું છે કે- આઈ લવ યુ શાહરુખ ખાન. આ સાથે તેણે એક શાયરી પણ શેર કરી છે. ૩ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા દીકરા આર્યન ખાનની ધરપકડ કરાયા બાદ શાહરૂખ ખાન અને પત્ની ગૌરી વ્યક્તિગત સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

ક્રૂઝ પાર્ટીમાંથી ડ્રગ્સ જપ્ત કરાયા બાદ તપાસ એજન્સીએ તેની અટકાયત કરી હતી, જ્યાં આર્યન ખાન વીવીઆઈપી મહેમાન હતો. વરિષ્ઠ વકીલ સતિષ માનશિંદે આર્યન ખાનને જામીન અપાવવા માટે કપરી મહેનત કરી રહ્યા છે, પરંતુ જામીન પરની સુનાવણી ૧૩ ઓક્ટોબર સુધી સ્થગિત થઈ છે. કપરા સમયમાં, શાહરૂખ ખાન અને ગૌરી પરેશાન થઈ ગયા છે અને અંદરથી હચમચી ગયા છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્‌સ પ્રમાણે, આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારબાદ તરત જ શાહરૂખ ખાને કાયદાકીય સલાહ લીધી હતી, દેશના ઘણા નિષ્ણાતોનો સંપર્ક કર્યા બાદ વકીલ સતિષ માનશિંદેએ ખાતરી આપી હતી કે, તેઓ ખૂબ જલ્દી આર્યન ખાનને બહાર લાવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.