Western Times News

Gujarati News

MP: ભિંડ ખાતે ક્રેશ થયું વાયુસેનાનું વિમાન: પાયલોટ સુરક્ષિત

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના ભિંડ ખાતે ગુરૂવારે એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન ભિંડના મન કા બાગ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે. આ વિમાન જમીનની અંદર ધસી ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં પાયલોટ લેફ્ટિનેન્ટ અભિલાષ સુરક્ષિત છે.

એરફોર્સના અહેવાલ પ્રમાણે વાયુસેનાના મિરાજ 2000 વિમાને ગુરૂવારે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ઉડાન ભરી હતી. ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું હતું.

દુર્ઘટનાનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એરફોર્સે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. જાણવા મળ્યા મુજબ વિમાનમાં માત્ર એક જ પાયલોટ હતો અને તે પોતાની જાતને ઈજેક્ટ કરવામાં સફળ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.