Western Times News

Gujarati News

કશ્મીરમાં સુરક્ષા દળોનો સપાટોઃ ૧૫ ત્રાસવાદીઓનો ખાતમો કરી નાખ્યો

શ્રીનગર, પરપ્રાંતીય નાગરિકોની હત્યા કરાઈ ત્યારપછી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં ૧૫ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ જાણકારી આપતાં સ્થાનિક પોલીસે કહ્યું કે ૯ એન્કાઉન્ટરોમાં ૧૫ ત્રાસવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં, શ્રીનગર શહેરમાં ૩ ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. તે ઉપરાંત, આજે શોપિયાં જિલ્લામાં થયેલા એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આદિલ અહ-વણી નામના ત્રાસવાદીને ગોળીએ દીધો હતો. તે ૨૦૦૨ની સાલથી કશ્મીર ખીણપ્રદેશમાં સક્રિય હતો.

એક ગરીબ પરપ્રાંતીય મજૂરની તેણે જ હત્યા કરી હતી. ગયા અઠવાડિયે ઉમર મુશ્તાક ખાંડે નામના ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો હતો જે લશ્કર-એ-તૈબાનો કમાન્ડર હતો અને જમ્મુ-કશ્મીરમાં ટોચનો રીઢો ત્રાસવાદી હતો. એણે બે પોલીસ જવાનની હત્યા કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.