Western Times News

Gujarati News

મોદીએ ઈટલી જવા પાક. એરસ્પેસનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી, પાકિસ્તાને તાજેતરમાં જ શ્રીનગરથી શારજાહની વચ્ચે શરૂ થયેલી ફ્લાઈટને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે અને પોતાના એરસ્પેસથી આ ફ્લાઈટની ઉડાન ભરવા પર રોક લગાવી દીધી છે. ખાસ વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યા બાદ આજે જ નવી દિલ્હી પહોંચ્યા છે.

પીએમ મોદીના બોઈંગ ૭૭૭ વિમાને ઈટલી અને સ્કોટલેન્ડ જવા માટે પાકિસ્તાનના એરસ્પેસની મુસાફરી કરી હતી. ઈટલીમાં જ્યાં પીએમ મોદી જી૨૦ શિખર સંમેલનમાં સામેલ થયા હતા ત્યાં સ્કોટલેન્ડમાં તેમણે સીઓપી ૨૬ સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલનમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીએ પાછા ફરતા સમયે બહાવલપુરમાં પ્રવેશ કર્યા બાદ તુર્બત અને પંજગુરની મુસાફરી કરી અને જે બાદ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પીએમ મોદીના બોઈંગ ૭૭૭ વિમાને લેન્ડિંગ કર્યુ. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયથી એરસ્પેસના ઉપયોગની અનુમતિ માગી હતી.

જેને મંજૂર કરી દેવાઈ હતી. પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના પ્રવક્તાએ પુષ્ટિ પણ કરી હતી કે તેમણે ભારતીય વડાપ્રધાનના વિમાનને પાકિસ્તાની એરસ્પેસ પાસેથી પસાર થવાની અનુમતિ આપી દીધી છે. પીએમ મોદીના વિમાનને અનુમતિ ભલે જ પાકિસ્તાની સરકારે આપી હોય પરંતુ શ્રીનગર-શારજાહની ફ્લાઈટને લઈને પાકિસ્તાની મીડિયાથી લઈને વિપક્ષ સુધી પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને કઠેડામાં ઉભા કરી દીધા હતા.

આ દબાણ બાદ પાકિસ્તાને ગયા મંગળવારે શ્રીનગરથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાથી રોકી દીધા, જે બાદ ફ્લાઈટને ફરીને શારજાહ જવુ પડ્યુ. પાકિસ્તાને અગાઉ પણ કાશ્મીરથી ઉડનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પોતાનુ એરસ્પેસ ઉપયોગ કરવાથી રોકી દીધા હતા. અગાઉ દુબઈના જમ્મુ-કાશ્મીરમાં રોકાણના ર્નિણયને લઈને પણ પાકિસ્તાન ઘણુ અસહજ દેખાઈ રહ્યુ હતુ. પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે આને ભારતની મોટી જીત ગણાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.