Western Times News

Gujarati News

આર્યનને ડ્રગ્સમાં ફસાવીને કરોડો વસૂલવાનું કાવતરું

મુંબઈ, આર્યન ખાન ડ્રેગ્સ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલીસની એસઆઈટી અને એનસીબીની વિજિલેન્સ ટીમની તપાસમાં જે પુરાવા મળ્યા છે, તેના મતે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવીને કરોડો રૂપિયા વસૂલવાનું કાવતરું રચાયું હતું.

આ ઘટનામાં સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડાના થોડા દિવસ પહેલા સુનિલ પાટીલ, કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળીએ મળીને આ ષડયંત્ર રચ્યું હતું. તેના માટે સુનિલ પાટીલ અને અન્યોએ પ્લાન એ અને બી તૈયાર કર્યો હતો.

પ્લાન એ મુજબ ક્રુઝ પર રેવ પાર્ટી કરવાની માહિતી એનસીબીને આપવામાં આવી હશે. આ પછી એજન્સી ત્યાં દરોડા પાડશે અને આર્યન ખાન અને તેના મિત્રોને કસ્ટડીમાં લેશે. આર્યનની ધરપકડ થયા પછી કિરણ ગોસાવી એનસીબી ઓફિસર હોવાનો ઢોંગ કરીને શાહરૂખ ખાન પાસેથી ૨૫ કરોડ રૂપિયા વસૂલ કરતો અને આર્યન ખાનને કોઈ રીતે ધરપકડથી બચાવવાનો પ્રયત્ન કરતો.

જાે તે આ પ્લાનમાં નિષ્ફળ ગયો હોત તો તેના માટે પ્લાન બી પણ તૈયાર હતો. પ્લાન બી દ્વારા કિરણ ગોસાવી અને તેના સાથીઓએ શાહરૂખ ખાનને એકત્ર કરેલ નાણાં પરત કર્યા હોત અને આ કેસમાં પોતાને બાતમીદારો અને મધ્યસ્થી બનાવ્યા હોત.

જાેકે, એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ આર્યન ખાન અને તેના મિત્રો સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરી હતી. જે બાદ કિરણ ગોસાવી અને તેના સહયોગીઓનો પ્લાન એ નિષ્ફળ ગયો હતો. જેના કારણે આર્યન ખાનને બચાવવાના નામે લીધેલા ૫૦ લાખનો પ્રથમ હપ્તો પરત કરવો પડ્યો હતો. આ ૫૦ લાખમાંથી ૨૫ લાખ હવાલા મારફતે સુનીલ પાટીલને મોકલવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિરણ ગોસાવીએ પ્લાન એ હેઠળ દરોડા દરમિયાન પકડાયા બાદ આર્યન ખાનને છોડાવવાના નામે પૂજા દદલાની સાથે ૧૮ કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી. જે બાદ ૩જી તારીખે હાજી અલી ચોક ખાતે પૂજા દદલાની પાસેથી રૂ.૫૦ લાખનો પ્રથમ હપ્તો લીધો હતો.

તેમાંથી ૨૫ લાખ રૂપિયા હવાલા દ્વારા સુનીલ પાટીલને મોકલવામાં આવ્યા હતા, બાકીના પૈસા બાકી લોકો દ્વારા વહેંચવામાં આવ્યા હતા. પરંતુ એક સેલ્ફીના કારણે પ્લાન એ બગડ્યા પછી સુનીલ પાટીલે તો ૨૫ લાખ પાછા આપ્યા, જ્યારે કિરણ ગોસાવી બાકીના ૨૫ લાખમાંથી કેટલાક પૈસા લઈને ભાગી ગયો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.