Western Times News

Gujarati News

3 રેલ કર્મચારીઓને રેલ્વે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કૃત કરવામાં આવ્યા

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ  પર રેલ્વે સલામતી અંગે જાગૃત રહેતા  અને તકેદારી સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 3 રેલ્વે કર્મચારીઓને મંડળ રેલપ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા.

મંડળ રેલ  પ્રબંધક  શ્રી તરૂણ જૈને  જણાવ્યું  કે રેલ્વેમાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક રેલ કર્મચારી આ માટે સતર્ક રહે છે. ફરજ દરમિયાન  તેમની સતર્કતાથી  ટ્રેન અકસ્માતની શક્યતાને દૂર કરે છે.

સાથે સાથે આ કુશળ અને સતર્ક ચોકીદાર બીજા રેલ કર્મચારી  માટે પણ અનુકરણીય ઉદાહરણ બની રહે છે. ફરજ પર હોય ત્યારે, સતર્કતા અને જાગૃતિ સાથે કામ કરવાથી ટ્રેન અકસ્માતો ટાળી શકાય છે.

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિતના જણાવ્યા મુજબ અમદાવાદ મંડળના આવા જ ઉલ્લેખનીય કાર્ય કરનારા 03 રેલ કર્મચારીઓમાં   સર્વ શ્રી કૌશિક રાઠોડ, પોઈન્ટ્સમેન-સુખપુર, શ્રી આશુતોષસિંહ  ટેક્નિશિયન સાબરમતી (ડીઝલ શેડ) અને શ્રી રવિન્દ્રકુમાર રવિ ગાર્ડ ગાંધીધામ (ગુડ્સ ટ્રેન) સન્માન કરવામાં આવ્યું હતું.

જેમણે સમયસર સમર્પણ, નિષ્ઠા અને સખત મહેનત સાથે સંભવિત ટ્રેન અકસ્માતોને રોકવા માટે કામ કર્યું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી જેથી સંભવિત અકસ્માતો ટાળી શક્યા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.