Western Times News

Gujarati News

અલ્હાબાદ હાઈકોર્ટમાં ૮ જજ કોરોના સંક્રમિત થયા

અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચમાં માત્ર વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. રવિવારે ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની અધ્યક્ષતામાં વરિષ્ઠ ન્યાયાધીશો અને બારના પ્રતિનિધિઓની વર્ચ્યુઅલ બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.

અવધ બાર એસોસિએશનના પ્રમુખ રાકેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી ૧૫ દિવસ સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. બેઠકમાં જાણવા મળ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચના ૮ જજાે ઉપરાંત કોર્ટના વિવિધ કર્મચારીઓ અને રજિસ્ટ્રીના સભ્યો પણ સંક્રમિત થયા છે. અત્યાર સુધી હાઇકોર્ટમાં હાઇબ્રિડ મોડ એટલે કે વર્ચ્યુઅલ અને ફિઝિકલ એમ બંને રીતે સુનાવણી થતી હતી.

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સંસદ બાદ હવે સુ્‌પીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ જાેવા મળ્યો છે, દેશમાં રોકેટની ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે, સુપ્રીમ કોર્ટમાં ૪ જજ કોરોના સંક્રમિત થયા છે અને ૧૫૦ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. ,૩૨ જજ માંથી હાલ ૪ જજ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુપ્રીમમાં પોઝિટિવિટી ૧૨.૫ ટકા જાેવા મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.