રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત
નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટિન છું. મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પોતાનો ટેસ્ટ કરાવે.
દિલ્હીમાં હવે પોલીસ વિભાગમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસના લગભગ 1000 કર્મચારીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં આ માહિતી આપી છે.
દિલ્હી પોલીસના એક ઓફિશિયલ નિવેદન પ્રમાણે, આ સંક્રમિતોમાં દિલ્હી પોલીસના જન સંપર્ક અધિકારી અને એડિશનલ પોલિસ અધિકારી ચિન્મય બિસ્વાલ પણ સામેલ છે.