Western Times News

Gujarati News

૭ વર્ષથી મણકાની તકલીફથી પિડાઇ રહેલા દર્દીને સિવિલના તબીબોએ ૪ કલાકમાં પીડા મૂક્ત કર્યો

કમરના વણાંકમાં સમસ્યા હોવાથી યુવક સીધો ઉભો રહી શકતો ન હતો

ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ ખર્ચ કહ્યો: સિવિલમાં નિઃશૂલ્ક સારવાર કરવામાં આવી

રાજકોટમાં રહેતા ૨૬ વર્ષીય યુવકને કરમનાં વણાંકમાં સમસ્યા થઈ હોવાના કારણે સીધા ઉભા રહી શકતા ન હતા સીધા ઊધી શકતા ન હતા અને સતત દુખાવો થયા કરતો હતો. યુવકે પોતાની બિમારીથી છુટવા સતત સાત વર્ષ અનેક હોસ્પિટલોમાં સારવાર માટે તપાસ કરાવી પરતું કોઈ જગ્યાએ સારવાર થઈ ન હતી.

જેથી તેઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. સિવિલના ડોક્ટરોએ યુવકનું 4 કલાક ઓપરેશન કરી તેને 7 વર્ષની પિડામાંથી મુક્ત કર્યો છે. નોંધનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનના 10 લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો. પરંતુ સિવિલમાં નિઃશૂલ્ક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

રાજકોટના 26 વર્ષીય રહીમને ધીમે ધીમે કમરનાં વણાંક શરૂ થઇ હતી. એક જેથી તે ઉભો પણ રહી શકતો ન હતો અને છેલ્લા 7 વર્ષથી તેઓ સીધા ઊંઘી શકતા ન હતો. ધીરેધીરે આ તકલીફ એટલી બધી વધવા લાગી હતી કે તેઓ કમરથી વળવા લાગ્યા હતા.

જેના કારણે તેમણે રાજકોટ સિવિલમાં અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની પીડા અંગે તપાસ પણ કરાઈ હતી. પરંતુ છેલ્લા 5-6 મહીનાથી તકલીફ એટલી વધવા લાગી હતી કે તે હેરાન પરેશાન થઇ ગયો હતો અને પોતાનું કોઇ પણ કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો. જેથી રહીમે એમઆરઆઈ કરાવ્યું હતુ જેમાં કમરમાં વણાંક વધી ગયો હોવાનું સામે આવ્યું હતુ.

આ માટે ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલો, પ્રાઈવેટ હોસ્પિટલોનો સંપર્ક પણ કર્યો, મણકાના ડોક્ટરોને પણ બતાવ્યું હતું. જેમાં તેમને ઓપરેશન માટે રૂ.10 લાખનો ખર્ચ થતો હોવાનું જણાવ્યું હતુ.

જો કે દરમિયાન એક ડોક્ટરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવા માટે કહ્યું હતું. જેથી રહીમ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં તબીબ ઝુલ્ફીકર એમ. પટેલ અને ડો. હર્ષિલ પટેલ, ડો.સોમેશ સિંઘ અને ડો.કેયુર શાહની ટીમે રહીમના રિપોર્ટ કરાવ્યા હતા. એક્સરે, સીટીસ્કેન, એમઆરઆઈ મેળવીને કમરનો વળાંક વધી ગયેલો હોવાનું અને ઓપરેશન કરવું જરૂરી હોવાનું રહીમને તબીબોએ સમજાવ્યું હતું.

જો કે ઓપરેશન દરમિયાન કરોડરજ્જુને ઈજા થઈ શકે તે માટે સતત આધુનિક neuromonitoring machineની જરૂર પડતી હોવાથી ડોક્ટરોના સ્ટાફે આ અંગે ચર્ચા વિચારણ કરી હતી બાદમાં જેમાં ઓપરેશન દર્દીની હાલત ગંભીર થઈ શકે, દર્દીને આઈસીયુમં લઈ જવાની જરૂર પણ પડી શકે તેમજ દર્દીના જીવને જોખમ પણ થઈ શકે તેવી તમામ મુશ્કેલીઓ પર ચર્ચા કરી હતી.

ત્યારબાદ બધી પરિસ્થિતિનો તાગ મેળવી ડો. ઝુલ્ફીકર અને તેમની ટીમે રહીમનું ઓપરેશન શરૂ કર્યું હતું. ચાર કલાકની ભારે મહેનત બાદ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ રહીમનો કમરનો વણાંક સીધો થઈ ગયો હતો અને તેઓ સીધા ઊંઘી શકતા અને દુખાવાથી રાહત મળી હતી.

જો કે 7 વર્ષ પછી પહેલી વાર રહીમ સીધો ઉભા રહી શકતા અને શાંતિથી ઊંઘતા થઈ ગયો હોવાથી પરીવારમાં આંનદનો માહોલ છવાઈ ગયો હતો.

આ અંગે રહીમે જણાવ્યું હતું કે, સિવિલના તબીબોની મહેનત અને અનુભવના કારણે જ હું ઉભો રહી શક્યો છું હવે હું મારું કામ પણ સારી રીતે કરી શકું છું. બહાર ઓપરેશન માટે 10 લાખ જેટલો ખર્ચ કહ્યો હતો. પરંતુ સિવિલમાં નિઃશૂલ્ક ઓપરેશન કરી આપ્યું છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે,અનુભવી તબીબોને કારણે સિવિલમાં સફળ ઓપરેશન થાય છેસિવિલ હોસ્પિટલ અનુભવી તબીબો છે જેના કારણે આખા ભારતમાં ન થતા ઓપરેશન અહીંયા થાય છે. અહીંયા ગુજરાત સિવાય અન્ય રાજ્યના દર્દીઓ પણ આવે છે અને સફળ ઓપરેશન કરવામાં આવે છે. બહાર લાખો રૂપિયાના ખર્ચે થતા ઓપરેશન સિવિલમાં નિઃશૂલ્ક કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.