Western Times News

Gujarati News

મુંબઈમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજમાં બ્લાસ્ટ, ૩ જવાનો શહીદ

મુંબઇ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની; આઇએનએસ રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના ૩ જવાનો શહીદ થઇ ગયા છએ. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આઇએનએસ રણવીર નવેમ્બર ૨૦૨૧ થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં ૧૧ જવાનોની સારવાર ચાલી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.