Western Times News

Gujarati News

વિકી જૈન તે વ્યક્તિ છે જેણે મને હંમેશાથી સપોર્ટ કર્યો: અંકિતા

મુંબઈ, ત્રણ વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા બાદ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. કપલના લગ્ન કોઈ પરીકથાથી કમ નહોતા. કપલના લગ્ન તેમજ રિસેપ્શન સહિતના તમામ ફંક્શન ગ્રાન્ડ રહ્યા હતા. લગ્ન બાદ અંકિતા લોખંડે પતિ સાથે નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈ છે.

પરિણીત મહિલા તરીકે જીવનમાં શું ફેરફાર આવ્યો તે અંગે અંકિતા લોખંડેએ કહ્યું હતું કે, લગ્ન બાદ હજી સુધી મારા માટે કંઈ બદલાયં નથી. વિકી અને હું લાંબા સમયથી મિત્રો છીએ. વિકી તે વ્યક્તિમાંથી એક છે જેણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તે મારો જીવનસાથી છે તે માટે પોતાને ધન્ય ગણું છું. કામની વાત આવે ત્યારે હું સરળ વ્યક્તિ છું અને તે મને કામ તરફ ધકેલતો રહે છે.

જાે કંઈ જ નથી બદલાયું તો પછી લગ્ન કેમ કર્યા તેમ પૂછતાં તેણે ઉમેર્યું હતું કે, મેં લગ્ન એટલા માટે કર્યા કારણ કે હું પાર્ટી કરી શકું. શું તમે જાણો છો કે અમે ત્રણ દિવસ સુધી પાર્ટી કરી હતી? અમે માત્ર પૈસા ખર્ચવા માગતા હતા. મને નથી લાગતું કે કોઈ પરિવર્તન આવ્યું છે. લોકો કેવા ફેરફારની અપેક્ષા કરી શકે? મને નથી ખબર. તમે તેને કઈ રીતે જુઓ છો તેના પર પણ વાત ર્નિભર છે. કેટલાક લોકો ગંભીરતાથી લે છે. તે જવાબદારી નહીં ખુશી વિશે છે.

અમે ખુશ છીએ અને તે જ સૌથી વધારે મહત્વનું છે. અંકિતા લોખંડે ‘પવિત્ર રિશ્તા’માં ‘અર્ચના’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. આ શોમાં સુશાંત સિંહ રાજપૂતે ‘માનવ’નું પાત્ર ભજવ્યું હતું, જેની સાથે એક્ટ્રેસ છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. અંકિતા લોખંડે હવે ખૂબ જલ્દી સીરિયલની બીજી સીઝન ‘પવિત્ર રિશ્તા ૨.૦’માં જાેવા મળશે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

અંકિતા લોખંડે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે કંગના રનૌત સ્ટારર ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે શ્રદ્ધા કપૂર, ટાઈગર શ્રોફ અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘બાગી ૩’માં પણ જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.