Western Times News

Gujarati News

મારી-કપિલની મિત્રતા દિવસો જતા મજબૂત બની: કૃષ્ણા

મુંબઈ, કૃષ્ણા અભિષેક કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં અલગ-અલગ બોલિવુડ એક્ટરની મિમિક્રી કરીને ફેન્સના દિલ જીતતો રહે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે કો-એક્ટર કપિલ શર્મા સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં તેમની વચ્ચે ચડચાચડસી હોવાની અફવાને નકારી કાઢી હતી.

ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તે અને કપિલ શર્મા હંમેશા એકબીજાના પડખે ઉભા રહ્યા છે અને બંને વચ્ચે મિત્રતાની જે પાતળી ભેદરેખા છે તે બંમેશા રહેશે. કૃષ્ણાએ તેવો પણ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેના પિતાનું ૨૦૧૬માં નિધન થયું ત્યારે તેને ફોન કરનારો કપિલ પહેલો વ્યક્તિ હતો. ઈન્ડિયન એક્સપ્રેસ વિશે વાત કરતા, કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે બંને વચ્ચે ક્યારેય પર્સનલ ઈશ્યૂ હતા જ નહીં.

કોઈની પણ મદદ વગર કોમેડી કિંગ તરીકે જગ્યા બનાવવા વિશે તેણે કહ્યું હતું કે, ‘મને યાદ છે કે જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે તેણે મને પહેલો ફોન કર્યો હતો. અમારી મિત્રતા હંમેશાથી મજબૂત રહેશે. આ જ કારણથી અમે મજબૂત છીએ. અમે ચાર વર્ષથી શોમાં કામ કરી રહ્યા છીએ અને મિત્રતા હજી વધારે મજબૂત થતી રહેશે’, તેમ તેણે કહ્યું હતું. જાે કે, ૨૦૧૮માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, બંને વચ્ચે ચડસાચડસી હતી.

જાે કે, બંને વચ્ચે હવે બધુ ઠીક થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કૃષ્ણા અભિષેકનો મામા ગોવિંદા સાથે અણબનાવ પણ જગજાહેર છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ગોવિંદાએ કહ્યું હતું કે ‘મામાએ કેટલીક એવી વાતો કહી હતી. જે સાંભળીને મને ગુસ્સો આવ્યો હતો. આખરે તો અમે એક જ પરિવારના છીએ.

મામા સાથે થયેલી દૂરી કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી અને ન તો લોકો માટે આ કોમેડી થઈ શકે છે. તેમના નિવેદન સાંભળીને મને પણ ગુસ્સો આવ્યો હતો. મને પણ દુઃખ થયું હતું. મારું માનવું છે કે, હું તેમના દીકરા જેવો છું. કેટલીક બાબતોને લઈને નારાજગી હોઈ શકે છે. પરંતુ અંતે તો એક પરિવાર જ છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.