Western Times News

Gujarati News

મધ્ય પ્રદેશમાં આવતીકાલથી 50 ટકા ક્ષમતા સાથે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય

ભોપાલ, મધ્ય પ્રદેશમાં સ્કુલ 1 ફેબ્રુઆરીથી ખુલી જશે. ધોરણ 1થી ધોરણ 12 સુધી 50 % ક્ષમતા સાથે સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. રહેણાંક શાળાઓ અને છાત્રાલયો પણ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યુ હતુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય ચિકિત્સા નિષ્ણાંતોથી વિચાર-વિમર્શ બાદ કરવામાં આવશે. આને લઈને મંત્રીઓના અલગ-અલગ નિવેદન આવી રહ્યા હતા. અગાઉ ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે સવારે કહ્યુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય વિશેષજ્ઞો પાસે વિચાર-વિમર્શ બાદ લેવામાં આવશે.

સૂત્રો અનુસાર મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સતત ઓછા થઈ ગયા છે. એવામાં સ્કુલ ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવેમ્બરમાં સરકારે 100% ક્ષમતા સાથે સ્કુલ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ જ્યારે જાન્યુઆરીમાં કોરોના કેસ વધવા લાગ્યા તો સરકારે પીછેહઠ કરી. 15થી 31 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.