Western Times News

Gujarati News

“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” માં નવી અભિનેત્રીની એન્ટ્રી થશે

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. અક્ષરા-નૈતિક અને નાયરા-કાર્તિક બાદ અભિમન્યુ-અક્ષરાની જાેડી દર્શકોના દિલ જીતી રહી છે. હવે આગામી સમયમાં સીરિયલમાં એક નવી એક્ટ્રેસની એન્ટ્રી થવાની છે, જે ગોયંકા પરિવાર માટે તોફાન બનીને આવશે.

લેટેસ્ટ ખબર પ્રમાણે, ‘કહાં હમ કહાં તુમની એક્ટ્રેસ કશિશ રાયની રાજન શાહીના શોમાં એન્ટ્રી થવાની છે. જે અલિશાનું પાત્ર ભજવશે. અપકમિંગ એપિસોડમાં, અક્ષરા હોસ્પિટલમાં તેનો રિઝાઈન લેટર અભિમન્યુને આપશે. થોડીવાર બાદ અભિમન્યુને એક ફોન આવશે.

ફોન રિસીવ કરી અભિમન્યુ અક્ષરા અને હર્ષને અવગણીને ભાગશે. તેને જાેઈને અક્ષરા પરેશાન થઈ જશે. જે બાદ સીરિયલમાં બિરલા પરિવારમાં નવા સભ્યની એન્ટ્રી થશે. અભિમન્યુને જેનો ફોન આવ્યો હોય છે તે અન્ય કોઈનો નહીં પરંતુ મહિમાની દીકરી અલીશાનો હોય છે. કશિશ રાયની અલીશાના પાત્રમાં એન્ટ્રી થવાથી સીરિયલમાં આગામી સમયમાં ઘણા ટિ્‌વસ્ટ જાેવા મળશે તેમ લાગી રહ્યું છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની કહાણીની વાત કરીએ તો, અભિમન્યુએ તેને અક્ષરા પ્રત્યે પ્રેમ હોવાનું પહેલા જ સ્વીકારી લીધું હતું. જાે કે, અક્ષરા ક્યારે ‘આઈ લવ યુ’ કહેશે તેની ફેન્સ રાહ જાેઈ રહ્યા હતા. થોડા એપિસોડ પહેલા જ અક્ષરાએ આખરે અભિમન્યુ પ્રત્યે તેને પ્રેમ હોવાની કબૂલાત કરી હતી.

સીરિયલની શરૂઆત હિના ખાન અને કરણ મહેરાથી થઈ હતી. જેમાં તેમણે અક્ષરા અને નૈતિકનું પાત્ર ભજવ્યું હતું. જે બાદ કહાણી નાયરા અને કાર્તિકની લવસ્ટોરી સાથે આગળ વધી હતી. નાયરાનું પાત્ર શિવાંગી જાેશી જ્યારે કાર્તિકનું પાત્ર મોહસિન ખાને ભજવ્યું હતું.

લીપ બાદ બંને એક્ટર્સે શો છોડી દેતા હવે તેમની પછીની પેઢી સાથે સ્ટોરી આગળ વધી છે. હર્ષદ ચોપરા ‘અભિમન્યુ’, પ્રણાલી રાઠોડ ‘અક્ષરા’ તો કરિશ્મા સાવંત ‘આરોહી’ના પાત્રમાં જાેવા મળી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.