ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા ૩ પોલીસકર્મીઓના મોત
ઉન્નાવ, ઉન્નાવમાં શુક્રવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં ઓવરટેક કરતી વખતે એક ટેન્કર આગળ જઈ રહેલી પોલીસની ગાડી પર પલટી ગઇ હતી.
આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક કોન્સ્ટેબલની હાલત ગંભીર છે. મૃતકોમાં બે મહિલા પોલીસકર્મી અને એક પુરુષ ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઉન્નાવ-હરદોઈ રોડ પર સફીપુર કોતવાલીમાં મહદી ખેડા કલવર્ટ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે પાછળથી આવી રહેલ એક બાઇક સવાર પણ ટ્રક સાથે અથડાયો હતો. તેની હાલત પણ ગંભીર છે.
પોલીસે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ૯ વાગ્યે પોલીસની ગાડી ઉન્નાવ તરફ જઈ રહી હતી. પાછળ એક દૂધનું ટેન્કર તેજ ગતિએ જઈ રહ્યું હતું. મહેડી ખેડા પુલ પાસે ટેન્કરે પોલીસ વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આગળ સાંકડો પુલ જાેઈને ટેન્કર ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે ટેન્કર બેકાબુ બની ગયું હતું. ડ્રાઈવર સંભાળી શક્યો ન હતો અને ટેન્કર નજીકમાં ચાલી રહેલી પોલીસની પીઆરવી વાન પર અથડાતા વાન પલટી ગઇ હતી.
અકસ્માતને પગલે સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ કાર પર પલટી ગયેલા ટેન્કરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક હટાવી શકાયો નહોતો. આ પછી સફીપુર પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અન્ય વાહનોની મદદથી ટેન્કરને હટાવી વાહનમાં ફસાયેલા ચાર પોલીસકર્મીઓને બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં પોલીસ કારમાં બેઠેલી મહિલા કોન્સ્ટેબલ શશિકલા, રીટા કુશવાહા અને ડ્રાઈવર કૃષ્ણેન્દ્રનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન એક કોન્સ્ટેબલ આનંદ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે આણંદને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી તેને તાત્કાલિક હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો છે.HS