Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશમાં ઓવરસ્પીડ કારનો અકસ્માત: ૮ લોકોના મોત

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના અનંતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ અકસ્માત અનંતપુરના બુઘગાવની ખાતે થયો હતો, જ્યાં એક ઝડપી કાર લારી સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ઝડપી હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા.

આ અકસ્માતમાં એસયુપી કારમાં સવાર ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ કે, એસયુવીમાં કુલ નવ લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની સ્પીડ ખૂબ જ વધારે હતી, જેના કારણે ડ્રાઈવર કાર પર કાબૂ ન રાખી શક્યો અને સ્પીડમાં આવતી કાર એક લારી સાથે અથડાઈ.

અકસ્માતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. તે જ સમયે ત્યાં હાજર લોકોએ કારમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થવાની બાકી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.