Western Times News

Gujarati News

અક્ષયે કપિલના શોમાં બચ્ચન પાંડેનું પ્રમોશન કરવા ના પાડી?

મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં સૌથી વધુ વખત મહેમાન બનીને આવતાં કલાકારોમાં અક્ષય કુમારનું નામ મોખરે છે. શોની કાસ્ટ ઘણીવાર પોતાના એક્ટ દરમિયાન આ વાતની મજાક ઉડાવતી રહે છે. અક્ષય કુમાર દર થોડા મહિને પોતાની નવી ફિલ્મનું પ્રમોશન કરવા માટે કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં પહોંચી જાય છે.

હવે અક્ષય કુમાર ફિલ્મ બચ્ચન પાંડેમાં જાેવા મળશે. આ ફિલ્મ હોળીના એક દિવસ પહેલા એટલે કે ૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ રહી છે. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટનું માનીએ તો, ખિલાડી કુમાર કપિલ શર્માથી નારાજ છે અને એટલે જ બચ્ચન પાંડેનું પ્રમોશન કરવા ધ કપિલ શર્મા શોમાં નથી જવાનો. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો.

ત્યારે કપિલ શર્માએ મજાક કરતાં અક્ષય કુમારે લીધેલો પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ યાદ કરાવ્યો હતો. જેમાં અક્ષય કુમારે પીએમ મોદીને કેરી કઈ રીતે ખાવી ગમે છે? તેવો પ્રશ્ન કર્યો હતો. દરમિયાન અક્ષયે પણ મજાક-મસ્તીના મૂડમાં કપિલને એ વ્યક્તિનું નામ લેવાનું કહ્યું હતું જેનો તેણે ઈન્ટરવ્યૂ લીધો હતો.

જેથી કપિલે વાત ફેરવી નાખી હતી. રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારે ચેનલને વિનંતી કરી હતી કે, આ ભાગ પ્રસારિત કરવામાં ના આવે કારણે તેમાં દેશના ઊંચા પદ પર બેઠેલા વ્યક્તિ અંગે રમૂજ કરાઈ હતી. ચેનલે અક્ષયની વાત માટે હામી ભરી હતી પરંતુ ‘ધ કપિલ શર્મા શો’ની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

શોના સેટ પરથી જ કોઈએ લીક કરી હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવાયું છે કે, આ ઘટનાને લીધે અક્ષય કુમાર કપિલથી નારાજ છે અને તેની પાસે સ્પષ્ટીકરણ માગ્યું છે. જ્યાં સુધી કપિલ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી અક્ષયે શોમાં આવવાનો ઈનકાર કર્યો હોવાનો દાવો મીડિયા રિપોર્ટમાં કરાયો છે. જાેકે, કપિલ શર્મા તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અક્ષય કુમારે એક પોસ્ટ મૂકીને ‘બચ્ચન પાંડે’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેક્લીન ફનાર્ન્ડિઝ અને ક્રિતી સેનન જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.