Western Times News

Gujarati News

સુનીલે પ્રાર્થના કરનારા ફેન્સનો માન્યો આભાર

મુંબઇ, હાર્ટ સર્જરી પછી સ્ટેન્ડઅપ કોમેડિયન સુનીલ ગ્રોવરના ફેન્સ માટે એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી સુનીલ ગ્રોવરે ફેન્સ માટ એક પોસ્ટ લખી છે. પોસ્ટમાં તેણે પોતાની તબિયતની અપડેટ આપી છે.

સુનીલ ગ્રોવરના ચાહકોન જાણીને ખુશી થશે કે, હવે તે પહેલા કરતા સારી છે અને તમારા માટે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરીના સમાચાર તેના ફેન્સ માટે ઘણા શોકિંગ હતા. પરંતુ, હવે તે ધીરે-ધીરે રોજબરોજના જીવનમાં પરોવાઈ રહ્યો છે. બધાના ચહેરા પર હાસ્ય લાવનારા સુનીલ ગ્રોવરની તબિયત હવે પહલા કરતા સારી છે. સાજા થતા જ તેણે સૌથી પહેલા ફેન્સનો આભાર માનતી પોસ્ટ કરી છે.

ટ્‌વીટર પર તેણે લખ્યું કે, ભાઈ ટ્રિટમેન્ટ સારી થઈ ગઈ, મારું હીલિંગ ચાલી રહ્યું છે. તમારા બધાની પ્રાર્થનાઓ માટે, કૃતજ્ઞતા છે મારી ભાવના! ઠોકો તાલી!’ એ સાથે જ તેણે એક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવરની બાયપાસ સર્જરી થઈ હોવાના સમાચાર ૨ ફેબ્રુઆરીએ બહાર આવ્યા હતા.

જે સાંભળીને ફેન્સ અને સેલેબ્સને ઝટકો લાગ્યો હતો. છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં ૪૪ વર્ષીય સુનીલ ગ્રોવરને મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૩ ફેબ્રુઆરીએ સુનીલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

સુનીલને હોસ્પિટલમાંથી રજા અપાઈ તે વખતે ડોક્ટરે જણાવ્યું હતું કે, તેણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેને હોસ્પિટલ આવવાનું કહેવાયું હતું. બ્લડ ટેસ્ટ અને ઈસીજી કર્યા પછી ખબર પડી કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ મેડિકલી સ્ટેબલ કરવા માટે તેને દવાઓ અપાઈ હતી. તે કોવિડ પોઝિટિવ પણ હતો. અઠવાડિયા પછી તેની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.

જેમાં ખબર પડી કે, તેની ત્રણેય આર્ટરીમાં બ્લોકેજ હતું. એટલે બાયપાસ સર્જરી કરવાનો ર્નિણય લીધો હતો. ૧૪ દિવસ પહેલા તેની બાયપાસ થઈ છે. તેની રિકવરી સારી થઈ છે અને હવે ડિસ્ચાર્જ કરી દેવાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.